
– અમેરિકાના 25 ટકા ટેરીફનો સ્પષ્ટ ઉત્તર
– ભારત કરતાં યુરોપનો રશિયા સાથેનો વેપાર વધુ મોટો છે તો યુરોપના નાણાં યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં નથી વપરાતા : જયશંકરનો પશ્ચિમી દેશોને સવાલ
– વેપાર વાટાઘાટોમાં ભારત કોઈપણ સંજોગોમાં ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતો સાથે સમાધાન કરી શકે નહીં : જયશંકર
– વિદેશના વડાઓ સાથે મીડિયા સામે જ ચર્ચાનું ટ્રમ્પનું વલણ પારંપરિક રૂઢીવાદી વલણોથી અલગ : જયશંકર
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત પર દંડ સ્વરૂપે વધારાના ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. આ ટેરિફનો અમલ ૨૭ ઑગસ્ટથી થવાનો છે ત્યારે આ પહેલાં શનિવારે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે ભારતને અમેરિકાના ટેરિફ ‘ટેરરિઝમ’ની યાદીમાં બ્રાઝિલ સાથે સૌથી ઉપર રાખવાના નિર્ણયની આકરી ટીકા કરી છે.










