gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લો કરો વાત, કેન્દ્ર-રાજ્યના 50 ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! | criminal cases against 50% of centr…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in INDIA
0 0
0
લો કરો વાત, કેન્દ્ર-રાજ્યના 50 ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! | criminal cases against 50% of centr…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો ‘ક્રિમિનલ’ : એડીઆર

– કુલ 302 પ્રધાનોમાંથી 174 મંત્રી સામે ગંભીર ફોજદારી ગુનો ભાજપના 336માંથી 40 ટકા એટલે કે 136 મંત્રી ક્રિમિનલ

– આંધ્રની તેલુગુદેશમના પાર્ટીના 96 ટકા મંત્રીઓ એટલે કે 23માંથી 22ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે

નવી દિલ્હી : દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે, દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવત લાગે તેવી વાત એડીઆર રિપોર્ટમાં આવી છે. એડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ ૪૭ ટકા પ્રધાનો એટલે કે લગભગ અડધો અડધ પ્રધાન સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રાજકારણ ગુનામુક્ત તો ન થાય, પણ ગુનાયુક્ત થયું હોવાની જરૂર કહી શકાય. 

એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) પણ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે જેમા વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય કે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયની સજા માટેના ગંભીર ફોજદારી ગુના માટે સળંગ ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપવું પડશે. એડીઆરે આ માટે દેશની કુલ ૨૭ વિધાનસભા, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ ૬૪૩ સોગંદનામાની ચકાસણી કરી હતી, તેમા તેણે જોયું કે કુલ ૩૦૨ પ્રધાનો એટલે કે અડધોઅડધ કહેવાય તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ૩૦૨ પ્રધાનોમાં ૬૦ ટકાથી પણ વધારે એટલે કે ૧૭૪ પ્રધાનોની સામે તો ગંભીર ફોજદારી કેસ છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.

એડીઆર વિશ્લેષણ મુજબ ભાજપના કુલ ૩૩૬ પ્રધાનમાં ૪૦ ટકા એટલે કે ૧૩૬ પ્રધાનાએ તો પોતે જ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યુ છે. તેમા ૨૬ ટકા એટલે કે ૮૮ પ્રધાનોની સામે ગંભીર ગુના છે.

કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તામાં છે. તેના ૭૪ ટકા એટલે કે ૪૫ પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેમા ૩૦ ટકા એટલે કે ૧૮ની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. 

આ ઉપરાંત ડીએમકેના કુલ ૩૧ પ્રધાનોમાંથી ૨૭ એટલે કે ૮૭ ટકા સામે ફોજદારી કેસ છે. જ્યારે ૪૫ ટકા એટલે કે ૧૪ની સામે ગંભીર ફોજદારી ગુના નોંધાયેલા છે. તૃણમૂલ કોંગ્રેસના ૩૩ ટકા એટલે કે ૪૦માંથી ૧૩ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમા ૨૦ ટકા એટલે કે ૮ની સામે ગંભીર ગુના છે. 

તેલુગુદેશમ પાર્ટીમાં ગુનેગાર પ્રધાનોનું સૌથી ઊંચું પ્રમાણ છે. તેમા કુલ ૨૩ પ્રધાનોમાંથી ૨૨ પ્રધાનો સામે એટલે કે ૯૬ ટકા પ્રધાનો સામે ગુના નોંધાયેલા છે. તેમાથી ૫૭ ટકા એટલે કે ૧૩ પ્રધાનની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રધાનોમાં જોઈએ તો ૧૬માંથી ૧૧ એટલે કે ૬૯ ટકા પ્રધાનો સામે ફોજદારી કેસો છે. તેમાથી પાંચ એટલે કે ૩૧ ટકા સામે ગંભીર કેસો છે. હવે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ૭૨ કેન્દ્રીય પ્રધાનોમાંથી ૪૦ ટકા એટલે કે ૨૯ પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

રાજ્યોમાં જોઈએ તો કુલ ૧૧ વિધાનસભામાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ અને પુડુચેરીના ૬૦ ટકાથી વધારે પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેનાથી વિપરીત હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના પ્રધાનોની સામે કોઈ ફોજદારી કેસ જ નોંધાયા નથી. 

નાના રાજ્યના બજેટ જેટલી પ્રધાનોની સંપત્તિ

દેશના કુલ 643 મંત્રીઓની સંપત્તિ રૂ. 23,629 કરોડ

– શાસક પક્ષ ભાજપની પાસે સૌથી વધુ 14  અને કોંગ્રેસના 11 મંત્રીઓ અબજપતિ

નવી દિલ્હી : એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે દેશની કુલ ૩૦ વિધાનસભાઓ અને કેન્દ્ર સરકારના ગણીને કુલ ૬૪૩ મંત્રીઓની સંપત્તિ રૂ. ૨૩,૬૨૯ કરોડ જેટલી થાય છે, જે પૂર્વોત્તર ભારતના નાના રાજ્યના બજેટ જેટલી થાય છે.

દેશની કુલ ૩૦ વિધાનસભામાં ૧૧ અબજપતિ મંત્રીઓ છે. તેમા કર્ણાટકમાં સૌથી વધુ આઠ મંત્રીઓ અબજપતિ છે. તેના પછી આંધ્રમાં છ અને મહારાષ્ટ્રમાં ચાર મંત્રીઓ અબજપતિ છે. આમ દરેક પ્રધાન પાસે સરેરાશ રૂ. ૩૭.૨૧ કરોડની સંપત્તિ હોવાનું કહેવાય છે.

અરુણાચલ પ્રદેશ, દિલ્હી, તેલંગણા અને હરિયાણામાં બે-બે પ્રધાનો અબજપતિ છે. જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ અને પંજાબના એક-એક પ્રધાન અબજપતિ છે. જ્યારે કેન્દ્ર સરકારના કુલ ૭૨ પ્રધાનમાંથી છ પ્રધાન અબજપતિ છે.

હવે પક્ષવાર જોઈએ તો ભાજપના કુલ ૧૪ પ્રધાન અબજપતિ છે, જે સૌથી વધારે છે. તે કુલ અબજપતિ પ્રધાનોનો ચાર ટકા હિસ્સો થાય છે. જ્યારે કોંગ્રેસ પણ પાછળ નથી. તેના કુલ ૬૧ પ્રધાનોમાંથી ૧૧ અબજપતિ છે, જે ટકાવારીની રીતે ૧૮ ટકા થાય. જ્યારે ટીડીપીના છ અબજપતિ છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી, જનસેના પાર્ટી, જેડી(એસ), એનસીપી અને શિવસેનાના પણ એક-એક પ્રધાન અબજપતિ છે.

પ્રધાનો- ક્રિમિનલ કેસ

દેશના કુલ પ્રધાન      ૬૪૩

ફોજદારી કેસ   ૩૦૨

ભાજપના પ્રધાન        ૧૩૬

કોંગ્રેસના પ્રધાન ૦૪૫

ડીએમકેના પ્રધાન       ૦૩૧

ટીએમસીના મંત્રી       ૦૧૩

તેલુગુદેશમ મંત્રી        ૦૨૨

આપના પ્રધાન  ૦૧૧

કેન્દ્રીય પ્રધાન   ૦૨૯

પક્ષ

ગંભીર ગુનાવાળા મંત્રીઓ

ભાજપ

૮૮

કોંગ્રેસ

૧૮

ડીએમકે

૧૪

ટીએમસી

૦૮

તેલુગુદેશમ

૧૩

આમ આદમી

૦૫



G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…
INDIA

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

March 23, 2026
3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…
INDIA

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

March 23, 2026
VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…
INDIA

VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…

March 23, 2026
Next Post
વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal…

વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal...

ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા

ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા

GST 2.0નો લાભ લોકોને જ મળે તે માટે સરકારનો ખાસ પ્લાન, કંપનીઓ પર નજર રાખવા જુઓ કોને સોંપી જવાબદારી | …

GST 2.0નો લાભ લોકોને જ મળે તે માટે સરકારનો ખાસ પ્લાન, કંપનીઓ પર નજર રાખવા જુઓ કોને સોંપી જવાબદારી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

6 months ago
અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

3 months ago
માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea…

માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea…

7 months ago
ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

6 months ago
અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

3 months ago
માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea…

માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea…

7 months ago
ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News