
Mumbai Ganesh Visarjan : મુંબઈમાં ગણેશ ભક્તોની સાથે પોલીસે પણ ગણેશ વિસર્જનની ધમધોકાટ તૈયારી કરી દીધી છે. આવતીકાલે (6 સપ્ટેમ્બર) અનંત ચતુર્દશીના પાવન અવસરે શહેરમાં ભગવાન ગણેશની મૂર્તિઓના ભવ્ય વિસર્જનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે લગભગ 7000 સાર્વજનિક ગણેશ પ્રતિમાઓ અને ઘરે બિરાજમાન કરાયેલા દોઢ લાખથી વધુ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે. આ ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક અને જોરદાર વ્યવસ્થા ગોઠવી છે. સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું કે 21000થી વધુ પોલીસકર્મીઓ ફરજ પર તૈનાત રહેશે.










