
દિલ્હીમાં આજથી ફરી વરસાદ પડવાની આગાહી
હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, પંજાબમાં સૈન્યનું ઓપરેશન રાહત, ૧૩૦૦૦ લોકોને મેડિકલ સારવાર અપાવી
શ્રીનગર: ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબ બાદ હવે હરિયાણામાં પૂરની સ્થિતિ છે. હરિયાણામાં વરસાદની ઘટનામાં વધુ ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું હતંધ કે ભારે વરસાદને પગલે ઘર તુટી પડતા આ જાનહાની થઇ હતી. તમામ મૃતકોના પરિવારને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય અપાઇ રહી છે.










