
ભારતમાં ઈઝરાયેલનું ૩૩૭,૭૭ મિલિયન ડોલરનું રોકાણ
ઇઝરાયેલના નાણામંત્રી પ્રધાન અને ભારતના નિર્મલા સીતારામન વચ્ચે કરાર ઃ બંને દેશ વચ્ચે ૪ અબજ ડોલરનો વાર્ષિક વેપાર
નવી દિલ્હી: ભારત અને ઇઝરાયેલે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર સહીસિક્કા કર્યા છે. તેનાથી બંને દેશ વચ્ચેના રોકાણ સંબંધોને વૃદ્ધિ આપવામાં પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારત અને ઇઝરાયેલ સરકારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સમજૂતી પર સહીસિક્કા કર્યા. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને તેમના ઇઝરાયેલી સમકક્ષ બેઝેલ સ્મોટ્રિચે તેના પર સહીસિક્કા કર્યા.










