
ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસવાય કુરેશીનો દાવો
ચૂંટણી પંચે એસઆઈઆર શરૂ કરાવીને મધપૂડામાં હાથ નાંખ્યો છે અને તેનાથી સંસ્થાને જ નુકસાન થશે
નવી દિલ્હી: બિહારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘એસઆઈઆર’ સમયે જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’નો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે હવે ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ રાહુલ ગાંધીના સમર્થનમાં ચૂંટણી પંચની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર ગુસ્સે થવાના બદલે તેમના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ.










