
ગૌહાતિ,27 સપ્ટેમ્બર,2025, શનિવાર
ત્રિપુરામાં ગાંઢ જંગલ અને પર્વતની હારમાળાઓ વચ્ચે આવેલા સદીઓ જૂના નિર્જન પ્રાચીન સ્થળનું નામ ઉનાકોટી છે જેનો અર્થ એક કરોડમાં એક સંખ્યા ઓછી એવો થાય છે. એક જ સ્થળે આટલી વિશાળ સંખ્યામાં મૂર્તિઓનું નિર્માણ સંશોધનનો વિષય છે. પૂર્વોત્તર ભારત પ્રવાસ પર્યટન અને રહસ્યોથી ભરપૂર છે પરંતુ તેના વિશે લોકોને પૂરતી જાણકારી નથી. ત્રિપુરા રાજયમાં ઉનાકોટી જિલ્લાના મુખ્ય મથક કૈલાશહેર પાસે એક પુરાતત્વ સ્થળ છે. આસપાસના વિસ્તારમાં અણાબીડ જંગલ અને પર્વતની હારમાળાઓ જોવા મળે છે.










