
– 2023માં 10,7000 ખેડૂતો-ખેતમજૂરોએ જીવન ટૂંકાવ્યું
– દસકામાં 1.17લાખ વિદ્યાર્થીઓની આત્મહત્યા, 64 ટકાનો વધારો : 2023માં જ 13,892એ જીવ આપ્યો
નવી દિલ્હી : નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ વર્ષ ૨૦૨૩ના દેશભરના આંકડા જાહેર કર્યા છે. ખેડૂતો, વિદ્યાર્થીઓની આત્મહત્યા, મહિલાઓ પર અત્યાચાર સહિતના જે આંકડા જાહેર થયા છે તેમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સત્તાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં ખેતી સાથે સંકળાયેલા ૧૦,૭૦૦ લોકોએ આત્મહત્યા કરી લીધી, જેમાં ૪૬૩૦ ખેડૂતો અને ૬૦૯૬ ખેતમજૂરોનો સમાવેશ થાય છે.










