PM Modi And Muhmmad Yunus Meeting: થાઈલેન્ડમાં યોજાયેલી BIMSTEC સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશ સરકારના વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ બાંગ્લાદેશની વચગાળાની સરકાર આ મામલે યોગ્ય જવાબદારી નિભાવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી છે.
કેન્દ્ર સરકારના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓના જે હાલ છે, તે મુદ્દાને વડાપ્રધાન મોદીએ યુનુસ સમક્ષ ઉઠાવ્યો છે. ચિંતા વ્યક્ત કરતાં પીએમ મોદીએ અપેક્ષા વ્યક્ત કરી છે કે, બાંગ્લાદેશની સરકાર આ મામલે યોગ્ય કામગીરી કરતાં સારી રીતે જવાબદારી નિભાવશે.