
– લદ્દાખ સરહદે નિર્માણને વન્યજીવ સમિતિની મંજૂરી
– વન્યજીવોને નુકસાન ના પહોંચે તે રીતે માળખાકીય સુવિધા ઉભી કરાશે, યુદ્ધ સમયે સૈન્યને મદદરૂપ થશે
નવી દિલ્હી : કેન્દ્રીય વન્યજીવ સમિતિએ ચીન સરહદે એલએસી પાસે પૂર્વી લદ્દાખમાં ભારતીય સૈનિકો માટે દારુગોળાના ભંડારણ અને કોમ્યુનિકેશન નેટવર્કની માળખાકીય સુવિધાના નિર્માણને લીલીઝંડી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ મંજૂરી બાદ ચીન સરહદે સૈનિકોને વિસ્ફોટકો અને હથિયારો પહોંચાડવા વધુ સરળ બનશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૈન્ય માટે ભંડારણ અને કોમ્યુનિકેશની માળખાકીય સુવિધા ચાંગથાંગથી વધુ ઉંચાઇવાળા વન્યજીવ અભયારણ્ય અને કારાકોરમ નુબ્રા શ્યોક વન્યજીવ અભયારણ્યમાં બનાવવામાં આવનારા આ નવા માળખાનો ઉદ્દેશ્ય દારુ ગોળાની સૈન્ય સુધી પહોંચ વધુ મજબૂત બનાવવાનો છે.










