
– બસમાં લગભગ 50 જેટલા લોકો હતા, મૃત્યુઆંક વધી શકે
– જૈસલમેરથી જોધપુર જતી બસમાં અચાનક જ આગ લાગી અને મુસાફરો કંઇ સમજે તે પહેલા કાળનો કોળિયો બન્યાં
જૈસલમેર : રાજસ્થાનના જૈસલમૈરમાં બપોરે એક ખાનગી બસમાં આગ લાગતા ૧૯ લોકોના દર્દનાક મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ બસ જૈસલમેરથી જોધપુર આવી રહી હતી. તે સમયે બપોરે લગભગ ત્રણ વાગે થઈયાત ગામની જોડે બસના પાછલા ભાગમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. ડ્રાઇવરે બસને રસ્તાના કિનારે લઈ જઈ રોકવાનો પ્રયત્ન કર્યો.










