
– વધુ ઝડપથી અને મબલખ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં
– ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચે સેતુ સાધવા સોઈલ હેલ્થ કાર્ડ અકસીર : ત્રણ વર્ષમાં ૫૫ હજાર ખેડૂતોએ જમીન ચકાસણી કરાવી
ભાવનગર : ઓછી મહેનત અને વધુ ઝડપી મબબલખ પાક લેવા ખેડૂતો પણ શોર્ટકટ અપનાવી યુરીયા અને ડીએપી ખાતરનો વધુ પડતો ઉપયોગ કરતા થયા છે. પરંતુ આ કાર્ય પદ્ધતિના કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. વિભાગ દ્વારા કાર્યરત સોલ હેલ્થ કાર્ડના તારણ પરથી ભાવનગર જિલ્લાની જમીનની સરેરાશ ફળદ્રુપતા ૩૦થી ૩૫ ટકા સુધી ઘટી હોવાનું જણાય છે. જેથી દેશી ખાતર અને જરૂરી તત્ત્વોની ઉમપ દૂર કરવા જરૂરી બન્યા છે.










