![]()
ભરૃચ તા.૯ ભરૃચ જિલ્લામાં દહેજ પંથકની મેઘમણી ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં કામદારના શંકાસ્પદ મોત બાદ સાચું કારણ જાણવા પીએમ કરવામાં આવ્યું છે. મૃતકના પરિવારે સહાય મેળવવા લાશ લેવાનો ઇન્કાર કરતાં મૃતદેહ હજુ પણ સિવિલ હોસ્પિટલમાં છે.
દહેજની મેઘમણી ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં કામ કરતા જંબુસર તાલુકાના સીગામના રહીશ યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવ ગઇકાલે ફરજ પર હતા ત્યારે બપોર બાદ ચાર વાગ્યાના અરસામાં તબિયત લથડતા સારવાર માટે ભરૃચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત થયું હતું.
કામદારનું મોત ગેસ લીકેજના કારણે થયું હોવાના મૃતકના પરિવારે આક્ષેપો કરતા મોડી રાતથી આ જ બપોર સુધી એટલે કે ૨૪ કલાકથી મૃતદેહ ભરૃચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૂકી રખાયો છે. કંપની સત્તાધીશો જ્યાં સુધી વળતર નહીં આપે ત્યાં સુધી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંથી નહીં ઉઠાવવામાં આવે તેવી જીદ સાથે મૃતકના પરિવારજનો કંપનીની બહાર બેસી રહ્યા છે.
દહેજ પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું છે કે કામદારનું મોત શ્વાસ રુંધાવાના કારણે થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે અને કામદારને શ્વાસની તકલીફ પણ હોવાનું જાણવા મળ્યું છે તેમજ મૃતકનો પરિવાર વળતરને લઈ કંપનીના સંચાલકો સાથે વાટાઘાટો કરી રહ્યા છે.










