![]()
ધોળકા તાલુકાના વૌઠા ગામના રહેવાસી પાર્વતીબેન બાબુભાઈ પરમારે અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકને તાત્કાલિક ધોરણે ભૂમાફિયાઓની ધરપકડ કરવા અરજી કરી છે.
ધોળકા પોલીસ સ્ટેશનમાં પાર્વતીબેની માલિકીની જમીન પચાવી પાડનાર ઔબચુભાઈ પુનાભાઈ બોચીયા, ઔબાકુબેન બચુભાઈ બોચીયા (બચુભાઈના પત્ની), ઔશ્રવણભાઈ બચુભાઈ બોચીયા (બચુભાઈના દીકરા) રહે. ભેટાવાડા સામે 19/11/2025ના રોજ લેન્ડ ગ્રેબિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, તેમ છતાં આજ દિન સુધી તેમની ધરપકડ થઈ નથી. આ માથાભારે ભૂમાફિયાઓ ફરાર હોવાથી તેમને અને તેમના પરિવારને જાનનું જોખમ છે અને ગમે ત્યારે હુમલો થવાની ભીતિ છે. પાર્વતીબેને અરજીમાં જણાવ્યું છે કે આરોપીઓને તાત્કાલિક શોધીને ઝડપી પાડવામાં આવે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી આ ભૂમાફિયાઓની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ અને તેમના પુત્ર જાનના જોખમને કારણે ધોળકા પોલીસ સ્ટેશનમાં જ બેસી રહેશે.










