![]()
– ડબલ ટ્રેક કાર્યના કારણે રેલ વ્યવહાર પર અસર
– ૧લી ડિસેમ્બરથી પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન એક માસ સુધી આંશિક રીતે રદ્દ રહેશે
ભાવનગર : ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન ૧લી ડિસેમ્બરથી દોઢ માસ માટે લાખાબાવળ અને પીપળી રેલવે સ્ટેશન પર ઉભી નહીં રહે. તેમજ પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનને એક માસ માટે આંશિક રીતે રદ્દ કરવા નિર્ણય લેવાયો છે.
રાજકોટ મંડળના લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેક કાર્યના કારણે તા.૧-૧૨થી તા.૧૫-૧ સુધી રેલ વ્યવહારને અસર થશે. જેમાં ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનો તા.૧-૧૨થી તા.૧૫-૧ સુધી લાખાબાવળ અને પીપળી સ્ટેશન પરનો સ્ટોપ રદ્દ કરવામાં આવ્યો છે. તેમજ તા.૧-૧૨થી તા.૩૦-૧૨ સુધી પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનને ગોપજામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે કેન્સલ કરવામાં આવી છે. આ ટ્રેન પોરબંદર-ગોપજામ વચ્ચે જ ચાલશે તેમ ભાવનગર મંડળના સિનિય ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું છે.










