
Congress and Shashi Tharoor News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી અંતર જાળવી રહ્યા હોવાની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે. એક તરફ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના નિર્ણયોના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજર રહી રહ્યા છે. તાજેતરમાં જ, તેઓ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાજર રહ્યા પરંતુ તેના બીજા જ દિવસે કોંગ્રેસની બેઠકમાંથી ગેરહાજર રહેતા રાજકીય ગલિયારામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
કેમ ગેરહાજર રહ્યા થરુર?
તાજેતરમાં, શશિ થરૂર SIR (મતદાર યાદી સુધારણા)ના વિરોધમાં રણનીતિ બનાવવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસની બેઠકમાં સ્વાસ્થ્યના કારણોસર હાજર રહ્યા ન હતા.










