
India Air Space Open For Pakistani Plane : ભારતીય અધિકારીઓએ પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા એવા સમાચારોને ‘ફેક ન્યૂઝ’ અને ‘દુષ્પ્રચાર’ ગણાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાને માનવતાવાદી સહાય મોકલવા માટે પાકિસ્તાનને પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ)નો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. હકીકતમાં, ભારતે આ મામલે પાકિસ્તાનની વિનંતી પર તાત્કાલિક વિચાર કરીને માત્ર ચાર કલાકની અંદર જ મંજૂરી આપી દીધી હતી.
પાકિસ્તાનની પોલ ખુલી!
આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે (ભારતીય સમય મુજબ) ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ભરવા માટે સત્તાવાર વિનંતી કરવામાં આવી હતી.










