
– ઇન્દિરા વોટચોરી કરી રાયબરેલીથી ચૂંટણી જીત્યા હતા : ગૃહમંત્રી
– સોનિયા ગાંધી ભારતના નાગરિક બન્યા તે પહેલા જ મતદાર બની ગયા હોવાનો કોર્ટમાં દાવો કરાયો : અમિત શાહનો આરોપ
– અમિત શાહના જવાબમાં ભારોભાર ડર છે : રાહુલ
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બન્ને વચ્ચે સંસદની કાર્યવાહી દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ હતી. રાહુલ ગાંધીએ વોટચોરી અંગેની તેમની ત્રણ પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરવા અમિત શાહને પડકાર ફેંક્યો હતો. જે બાદ અમિત શાહે જવાબ આપતા કહ્યું હતું કે તમારી મનમાની મુજબ સંસદ નહીં ચાલે.










