![]()
PM Modi on SIR: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામમાં જંગી સભાને સંબોધન કર્યું હતું જેમાં વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. SIR અંગે વિપક્ષને ઘેરતા PMએ કહ્યું કે ‘દેશદ્રોહીઓ SIRની ટીકા કરીને ઘૂસણખોરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ઘૂસણખોરોને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવાની ખાતરી કરવા માટે એક પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ ‘દેશદ્રોહી’ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
‘કોંગ્રેસના એજન્ડામાં પૂર્વોત્તર હતું જ નહીં’
આસામમાં વડાપ્રધાન મોદી ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. જે બાદ એક રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ સરકાર પર આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ‘રાજ્ય અને પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ ક્યારેય કોંગ્રેસની પ્રાથમિકતા યાદીમાં નહોતો, જ્યારે લોકો જુએ છે કે આસામમાં અત્યાધુનિક હાઇવે અને એરપોર્ટ બની રહ્યા છે, ત્યારે તેમને લાગે છે કે આસામને હવે ન્યાય મળી રહ્યો છે. અગાઉની કોંગ્રેસ સરકારો આસામ અને ઉત્તરપૂર્વ ક્ષેત્રનો વિકાસ ક્યારેય તેમના એજન્ડામાં નહોતો. ત્યારે સરકારમાં બેઠેલા લોકો કહેતા કે તે પ્રદેશમાં કોણ જાય છે? વધુ સારા માળખાગત સુવિધાઓ, આધુનિક રેલ્વે, હાઇવે અને એરપોર્ટની શું જરૂર છે?”
‘કોંગ્રેસની ભૂલો અમે સુધારી રહ્યા છીએ’
વધુમાં PM મોદીએ જણાવ્યું હતું કે ‘આ માનસિકતાને કારણે કોંગ્રેસે દાયકાઓ સુધી આસામ અને પૂર્વોત્તરની અવગણના કરી. મોદી સરકાર છેલ્લા છ કે સાત દાયકામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂલોને એક પછી એક સુધારી રહી છે કોંગ્રેસના સભ્યો ઉત્તરપૂર્વમાં જાય કે ન જાય તેની મને પરવા નથી, પરંતુ અહીં આવતાની સાથે જ મને એવું લાગે છે કે હું મારા લોકો વચ્ચે છું.
The new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport will boost connectivity, commerce and tourism across Assam and entire Northeast.
https://t.co/jRJdcJIOSB— Narendra Modi (@narendramodi) December 20, 2025
‘ઘૂસણખોરોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે દેશદ્રોહી’
PM મોદીએ વધુ વાર કરતાં SIR અંગે વિપક્ષના વલણને પણ ટાંક્યું હતું અને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે ઘૂસણખોરી રોકવા માટે કડક પગલાં પણ લીધા છે. SIR દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખીને હાંકી કાઢવામાં આવી રહ્યા છે. પણ કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિ ગઠબંધન ખુલ્લેઆમ રાષ્ટ્રવિરોધી એજન્ડાને અપનાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ ઘૂસણખોરોને હાંકી કાઢવાનું કહ્યું છે. છતાં, આ વ્યક્તિઓ તેમના બચાવમાં નિવેદનો આપી રહ્યા છે. તેમના વકીલો કોર્ટમાં તેમના સમાધાનની હિમાયત કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી માટે SIR પ્રક્રિયા ચલાવી રહ્યું છે, ઘૂસણખોરોનો બચાવ કરતી કોંગ્રેસ પાર્ટી તમારી જમીન અને જંગલો પર બીજાઓને કબજો કરવા દેશે, તેમની રાષ્ટ્રવિરોધી માનસિકતા ભૂતકાળની હિંસા અને અશાંતિ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આપણે દરેક ક્ષણે, દરેક પગલા પર કોંગ્રેસના કાવતરાઓને નિષ્ફળ બનાવતા રહેવું જોઈએ.’










