gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ નદી પર બીજા પ્રોજેક્ટને આપી મંજૂરી | India…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ નદી પર બીજા પ્રોજેક્ટને આપી મંજૂરી | India…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Dulhasti Power Project : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ-2025ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ ભારત આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પીઓકે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા હતા, એટલું જ નહીં ભારતે સિંધુ જળ સમજૂતી પણ રદ કરી દીધી હતી, જેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પાસે જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની સાથે પાણી માટે ભીખ માગી રહ્યું છે. એટલું જ નહીં, બિલાવ ભુટ્ટો સહિતના પાકિસ્તાની નેતાઓ ભારત પર પરમાણુ હુમલો કરવાની પણ ધમકી આપતા રહ્યા છે. હવે ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો પાઠ ભણાવ્યો છે અને એક મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેના કારણે પાકિસ્તાનના ટેન્શનમાં વધુ વધારો થયો છે.

ચિનાબ નદી પર વધુ 260 મેગાવોટના પ્રોજેક્ટને મંજૂરી

ભારતના પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા સ્થિત ચિનાબ નદી પર 260 મેગાવોટની ‘દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ’ના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. હવે આ 3200 કરોડ રૂપિયાના ‘રન ઑફ ધ રિવલ’ પ્રોજેક્ટ માટે ટેન્ડર જારી કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને દુલહસ્તી પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપવાનો નિર્ણય પાકિસ્તાન માટે અનેક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પ્રોજેક્ટની ખાસિયત

‘રન ઑફ ધ રિવલ’ જળવિદ્યુત પ્રોજેક્ટના ધ્યેય સાથે સંકળાયેલો બીજા તબક્કાનો પ્રોજેક્ટ એક એવો પ્રોજેક્ટ છે, જેમાં નદીઓના જળ પ્રવાહમાં કોઈપણ અડચણ ઊભી કર્યા વગર વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, નદીમાં કોઈપણ અચડણ કર્યા વગર કુદરતી પ્રવાહનો ઉપયોગ કરી શકાય છે.

વધુ 260 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે

દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ પર વર્તમાનમાં 390 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા પર કામ થઈ રહ્યું છે. વર્ષ 2007માં NHPCએ આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. હવે પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી મળ્યા બાદ વધુ 260 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે.

આ પણ વાંચો : ઝેલેન્સ્કી નહીં, હું છું બોસ… યુક્રેનના પ્રમુખની ટ્રમ્પે કરી મજાક; મહત્ત્વપૂર્ણ બેઠક પહેલા જ તણાવ

સિંધુ ખીણમાં અનેક પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ

જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધી લાગુ હતી, ત્યાં સુધી પાકિસ્તાનનો સિંધુ, જેલમ અને ચિનાબ નદી પર અધિકાર હતો, જ્યારે રાવી, બ્યાસ અને સતલુજ નદી પર ભારતનો અધિકાર હતો. હવે સંધિ રદ કરી દેવાઈ છે, તેથી ભારત સરકારે સિંધુ બેસિન પર અનેક જળવિદ્યુત પ્રોજેક્ટની કામગીરી આગળ વધારી રહી છે. આ પ્રોજેક્ટો સાવલકોટ, રાતલે, બરસર, પાકલ દુલ, ક્કાર, કિરુ અને કીતઈના પ્રથમ તેમજ બીજા તબક્કા સામેલ છે.

…તો પાકિસ્તાનને થશે મોટું નુકસાન

  • અત્યાર સુધી સિંધુ જળ સંધિ મુજબ પશ્ચિમની નદીઓ જેમ કે સિંધુ, જેલમ અને ચિનાબના પાણી પર પાકિસ્તાનનો મુખ્ય હક હતો. સંધિ સ્થગિત થવાથી ભારત હવે આ નદીઓ પર મોટા ડેમ અને સંગ્રહ ક્ષમતા વધારી શકે છે. જો ભારત પાણીનો સંગ્રહ કરે અથવા તેના પ્રવાહની દિશામાં ફેરફાર કરે, તો પાકિસ્તાનને મળતા પાણીના જથ્થામાં સીધો ઘટાડો થઈ શકે છે.
  • પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખેતી પર નિર્ભર છે અને તેની ખેતીનો મોટો હિસ્સો ચિનાબ અને જેલમ નદીઓના પાણી પર આધારિત છે. જો ભારત દુલહસ્તી જેવા અનેક પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરે, તો પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં સિંચાઈ માટે પાણીની અછત સર્જાઈ શકે છે. આનાથી ત્યાં પાકના ઉત્પાદનમાં ઘટાડો અને ખાદ્ય સુરક્ષાનું જોખમ ઊભું થઈ શકે છે.
  • પાકિસ્તાન પોતાની વીજળી જરૂરિયાતો માટે પણ આ નદીઓ પર બનેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર આધાર રાખે છે. જો ભારત ઉપરવાસમાં પાણીનો પ્રવાહ રોકે અથવા નિયંત્રિત કરે, તો પાકિસ્તાનના નીચેના ભાગમાં આવેલા પાવર સ્ટેશનોની કાર્યક્ષમતા ઘટી શકે છે, જેના કારણે ત્યાં પહેલેથી જ ગંભીર એવી વીજળીની સમસ્યા વધુ વકરી શકે છે.
  • ભારત દ્વારા આ સંધિને સસ્પેન્ડ કરવી એ પાકિસ્તાન પર એક મોટું દબાણ છે. સંધિ વગર પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર કાયદાકીય રક્ષણ ગુમાવી શકે છે. ભારત હવે નદીઓના પાણીનો ઉપયોગ એક વ્યૂહાત્મક હથિયાર તરીકે કરી શકે છે, જે પાકિસ્તાન માટે અસ્થિરતાનું કારણ બની શકે છે.
  • સિંધુ જળ સંધિ હેઠળ બંને દેશો ડેટા શેર કરતા હતા અને વિવાદોનું નિરાકરણ લાવતા હતા. હવે સંધિ સ્થગિત થવાથી પાકિસ્તાનને ભારતની પ્રવૃત્તિઓ વિશેની ટેકનિકલ માહિતી મળતી બંધ થઈ ગઈ છે.

આ પણ વાંચો : ભારત માટે પોતાના જ દેશના વિદેશ મંત્રી સાથે બાખડી પડ્યા ન્યૂઝીલેન્ડના PM, FTA મુદ્દે રોકડું પરખાવ્યું



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર | Digvijay Si…

કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર | Digvijay Si...

20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap…

20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap...

વલસાડમાં ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલઆંખ, આવા લોકોનો સમાજમાંથી કાયમી બહિષ્કારનો નિર્ણ…

વલસાડમાં ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલઆંખ, આવા લોકોનો સમાજમાંથી કાયમી બહિષ્કારનો નિર્ણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…

12 months ago
૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

1 year ago
જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા…

જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા…

2 months ago
વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની‌ તાલીમ‌ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિ…

વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની‌ તાલીમ‌ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…

12 months ago
૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

1 year ago
જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા…

જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા…

2 months ago
વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની‌ તાલીમ‌ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિ…

વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની‌ તાલીમ‌ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News