
– બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મંદિર-મસ્જિદનો મુદ્દો ચર્ચામાં
– જાન્યુઆરીમાં શિલાન્યાસ કરાશે, હું બિનસાંપ્રદાયિક નેતા, તમામ ધર્મો પ્રત્યે સન્માન ધરાવું છું : મમતાનો દાવો
કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિધાનસભાની ચૂંટણી પૂર્વે હિન્દુત્વ કાર્ડ ખેલવા જઇ રહ્યા છે. મમતાએ સોમવારે મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં પશ્ચિમ બંગાળના સૌથી મોટા મહાકાલ મંદિરનો શિલાન્યાસ કરાશે. સાથે જ મમતાએ દાવો કર્યો હતો કે તેઓ એક સેક્યૂલર નેતા છે અને તમામ ધર્મો પ્રત્યે માન ધરાવે છે.










