
– દિલ્હી હિંસા કેસમાં સુપ્રીમે અન્ય પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા
– મૃત્યુ અથવા વિનાશ જ નહીં દેશની અર્થવ્યવસ્થાને જોખમમાં નાખવી પણ હિંસા : સુપ્રીમે યુએપીએનો દાયરો વધાર્યો
– મારા માટે હવે જેલ જ જીવન છે, જે લોકોને જામીન મળ્યા તેમના માટે ખુશી વ્યક્ત કરું છું : ઉમર ખાલિદ
નવી દિલ્હી : વર્ષ ૨૦૨૦માં ફાટી નીકળેલા કોમી રમખાણોનુ કાવતરુ ઘડવાના આરોપી અને પાંચ વર્ષથી ટ્રાયલ વગર કેદ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી. જ્યારે આ કેસમાં આરોપી અન્ય પાંચ લોકોને સુપ્રીમે જામીન પર છોડવા આદેશ કર્યો હતો. ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન વી અંજારિયાની બેંચે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટીએ જોતા ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની વિરુદ્ધ કેસ બની રહ્યો છે.










