
– દિલ્હીના રામ લીલા મેદાન વિસ્તારમાં હિંસા
– સગીર સહિત પાંચની ધરપકડ, 10 થી 15ને અટકાયતમાં લઇ પૂછપરછ કરાઇ, આકરી કલમો હેઠળ ફરિયાદ દાખલ
નવી દિલ્હી : દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ પાસે ગેરકાયદે દબાણને હટાવવા ગયેલી પ્રશાસનની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા માટે સાથે રાખવામાં આવેલા પોલીસકર્મીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ અને બળ પ્રયોગ કરવો પડયો હતો.










