![]()
વાઘોડિયા રોડ બીપીએસ સ્કૂલની બાજુમાં કાન્હા ગોલ્ડ રેસીડન્સીમાં રહેતા નરસિંહભાઈ ઇશ્વરભાઇ ચૌધરી ફર્નિચર નો વેપાર કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 21મી જાન્યુઆરી મંગલારામ જાટ મારી દુકાને આવેલા અને સ્ટીલની પાઇપો 850 કિલો લેવાનું નક્કી કર્યું હતું. પાસે નક્કી કર્યું હતું જેની કિંમત1.39 લાખ રૂપિયા નક્કી કર્યા હતા તેમણે કહ્યું કે તમે સામાન મોકલાવી દેજો હું તમારા પૈસા મોકલાવી દઈશ ત્યારબાદ મેં મારા ઓળખીતા ટેમ્પા વાળા મારફતે સામાન મોકલી આપ્યો હતો. પૈસા લેવા માટે એટીએમ સેન્ટર પર જવાનું કરીને તે બહાના બતાવતો હતો. ત્યારબાદ 650 કિલો સામાન તેણે સગેવગે કરી દીધા હતા.










