![]()
Pariksha Pe Charcha 2026 : વર્તમાન સમયમાં બાળકોને મોબાઈલ અને ટીવી વગર બિલકુલ ચાલતું નથી. ઘણા બાળકો આખા દિવસ દરમિયાન અનેક કલાકો સુધી મોબાઈલ પર રહેતા હોય છે. ઘણા એવા પણ હોય છે, જેમને મોબાઈલ વગર જમવાનું ગળે ઉતરતું નથી. એકતરફ ટેકનોલોજી અને ગેજેટનો દુરુપયોગ અને સદઉપયોગ વધી ગયો છો, તો બીજીતરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની પણ બોલબાલા વધી ગઈ છે, ત્યારે આધુનિક યુગમાં સૌથી મોટો પડકાર એટલે કે ‘ટેકનોલોજી અને એઆઈ’ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે.
PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ‘પરીક્ષા પે ચર્ચા-2026’ બીજા સંસ્કરણમાં વિદ્યાર્થીઓને મોબાઈલ-ટીવીના ગુલામ ન બનવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો યોગ્ય ઉપોગ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, આજના સમયમાં મોબાઈલ અને ગેઝેટ્સ ધીમે ધીમે બાળકોના માલિક બની રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે, ઘણા વિદ્યાર્થીઓ હવે મોબાઈલ વગર જમવાનું જમતા નથી અને ટીવી વિના જીવી શકતા નથી, જે સ્પષ્ટ ટેકનોલોજીના ગુલામ બની ગયા હોવાના સંકેત છે.
Episode 2 of Pariksha Pe Charcha is a special one. It features students from various cities across India. Do watch!#ParikshaPeCharcha26 https://t.co/GdUvEJw5rf
— Narendra Modi (@narendramodi) February 9, 2026
આ પણ વાંચો : અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખતરો
‘ટેકનોલોજી સામે માનવીય મગજ શ્રેષ્ઠ’
તેમણે ચેતવણી આપી છે કે, ‘ટેકનોલોજીનો ઉપયોગ આપણી સુવિધા માટે થવો જોઈએ, નહીં કે વ્યક્તિના માનસિક અને વ્યક્તિગત વિકાસને રોકવા માટે. એઆઈના કારણે ઉભા થયેલા ડર અને તેનાથી ભવિષ્યના કેરિયર પર થતી અસર મામલે વિદ્યાર્થીઓને નિર્ણાયક બનવાની જરૂર છે. નવી ટેકનોલોજી દરેક યુગમાં ચર્ચા જગાવતી હોય છે અને ડર પણ ઉભો કરતી હોય છે, જોકે તેની સામે માનવીનું મગજ સૌથી ટોચ પર રહેશે.’
AIથી ડર લાગે છે, શું કરીએ?
કોઈમ્બતુરના વિદ્યાર્થી આદિ વિક્રમના સવાલનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે, ‘એઆઈના વધતા પ્રભાવથી ગભરાવાની જરૂર નથી. જો તમે સારી પુસ્કરો શોધવા માટે અથવા કોઈ વિષય પર માર્ગદર્શન મેળવવા માટે AIનો ઉપયોગ કરશો તો, તે તમારી પ્રગતિમાં મદદ કરશે. પરંતુ જો તમે AIને ‘હું નહીં વાંચુ, મને એઆઈ જ કહે કે, પુસ્કરની અંદર શું છે’ જેવા પ્રશ્નો કરશો તો તમારી બૌદ્ધિક ક્ષમતાઓને નુકસાન થશે. ટેકનોલોજીને આપણી બુદ્ધિનો વિકલ્પ ન બનવા દેવો જોઈએ.’
આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાં ભારતનો બહિષ્કાર કરી પાકિસ્તાન ફસાયું, વધુ એક દેશે કડક શબ્દોમાં આપી સલાહ










