
– 51 મણ ગુલાલની છોળો ઉડતા માર્ગો ભક્તિના રંગથી રંગાયા
– નિજમંદિરેથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, 2500 થી વધુ વૈષ્ણવભાઇ જોડાયા
બાલાસિનોર : બાલાસિનોરના દેશ-વિદેશમાં વસેલા લોકો છોટી ગોકુલ તરીકે ઓળખાતા બાલાસિનોરમાં બુધવારે ફાગણ સુદ નોમના દિવસે બાલાસિનોર, મુંબઈ અને અન્ય સ્થળોએ ધધાર્થે સ્થિત વૈષ્ણવો દ્વારા ફગવા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બાલાસિનોર દશાનિમા વણીક સમાજને પોતાના માદરે વતનમાં ભકિતમાં ઘોડાપુરમાં ડુબકી મારવા આતુરતા પૂર્વક રાહ જોવાતો મહોત્સવ એટલે ફાગણ સુદની નોમનો ફગવો ફગવા મહોત્સવ એટલે ઠાકોરજી નિજ મંદિરથી બાલાસિનોરમાં પોતાના ભક્તજનો સાથે હોળી ખેલવાનો ઉત્સવ.
બાલાસિનોર નગર પુષ્ટીમાર્ગીય દશાનિમા વૈષ્ણવ વણિક જેઓ વેપાર ધંધાર્થે મુંબઈ તેમજ વિદેશ અને અન્ય સ્થળે સ્થાયી થવા છતાં માદરે વતન પ્રત્યે અપાર સ્નેહ અને ગોકુલેશ ચરણ-શરણ આશક્ત પ્રિય વૈષ્ણવોથી ભકિતભાવ પૂર્વકની ગોકુલેશ પ્રભુ પ્રત્યેની ધર્મ ભાવનાથી છોટી ગોકુલ તરીકે ઓળખતા બાલાસિનોર નગરમાં છેલ્લા ૧૩૭ વર્ષોથી આ ફાગણ સુદ નોમના ફગવા મહોત્સવનું આયોજન થાય છે.










