gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી | Holi Ignited Onl…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી | Holi Ignited Onl…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Surat News : સુરત સહિત સમગ્ર દેશમાં હોળીકા દહનની ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે શાસ્ત્રોક્ત મુહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવે છે, પરંતુ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે સદીઓથી એક અનોખી પરંપરા અખંડ રીતે નિભાવવામાં આવી રહી છે. અહીં ગામમાં હોળી પ્રગટાવવા પહેલાં નૃસિંહ ભગવાનના મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે.  

અહીં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી

ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એવા અડધા મનુષ્ય અને અડધા સિંહ સ્વરૂપ ધરાવતા નૃસિંહ ભગવાનના 500 વર્ષથી વધુ પ્રાચીન મંદિર સાંધીએર ગામે આવેલું છે. મંદિર ભક્તોની ગાઢ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. મંદિરમાં આવેલી પ્રતિમા અત્યંત દુર્લભ ગણાય છે, જેમાં ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદ બેઠેલા દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે નૃસિંહ ભગવાનની ઉગ્ર મુદ્રાવાળી પ્રતિમા જોવા મળે છે, જ્યારે અહીંનું સ્વરૂપ રક્ષક અને કરુણા ભર્યું છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જગાવે છે.  

મંદિરના ટ્રસ્ટીએ શું કહ્યું?

મંદિરના ટ્રસ્ટી ભરત પુરોહિત કહે છે, સાંધીએર ગામમાં આશરે 1500 વર્ષ જૂની વણઝારા વાવ નજીક આ મંદિર આવેલું છે, જે સ્થાનની પ્રાચીનતા અને ઐતિહાસિક મહત્ત્વને ઉજાગર કરે છે. સ્થાનિક જાણકારોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નૃસિંહ ભગવાનના ગણતરીના જ મંદિરો આવેલા છે, જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક મંદિર અને સુરત જિલ્લાના સાંધીએર ગામમાં આ પ્રાચીન મંદિર વિશેષ સ્થાન ધરાવે છે. દેશભરમાં પણ નૃસિંહ ભગવાનના મંદિરો મર્યાદિત સંખ્યામાં હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપિયા

તેઓ વધુમાં કહે છે, આમ તો 365 દિવસ આ મંદિરનું મહત્ત્વ છે પરંતુ હોળીના દિવસે આ મંદિરનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આ મંદિર સાથે હોળીની લોકવાયકા પણ જોડાયેલી છે. હિરણ્યકશિપુની બહેન હોલિકાને અગ્નિથી ન બળવાનો વરદાન મળેલો હતો. તે પ્રહલાદને ગોદમાં બેસાડી અગ્નિમાં બેઠી. પરંતુ ભક્તિની શક્તિથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા દહન થઈ ગઈ હતી. ભગવાન નૃસિંહે તેમના ભક્ત પ્રહલાદના દર્શન આપવા સાથે અસુર રાજા હિરણ્ય કશ્યપથી છુટકારો અપાવવા માટે નૃસિંહ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદ હોય તેવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે અને સાંધીએરમા આ પ્રતિમા 500 વર્ષ કરતાં પણ વધુ જૂની છે. 

 ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદની પ્રતિમા

આ મંદિરમાં ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદની પ્રતિમા હોય આ મંદિરનું મહત્ત્વ હોળી વખતે અનેકગણું વધી જાય છે. અહીં પહેલા મંદિરમાં પૂજા આરતી થાય છે ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. આધુનિક યુગમાં પણ સાંધીએર ગામે પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને અખંડ રાખી છે. નૃસિંહ ભગવાનના આશીર્વાદથી ગામમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે એવી ગામજનોની અડગ શ્રદ્ધા છે. હોળીના પાવન અવસરે અહીં નિભાવાતી આ પરંપરા સાંધીએરને સમગ્ર ગુજરાતમાં અનોખી ઓળખ અપાવે છે.

આ પણ વાંચો: શું તમારા ઘરમાં પણ ઓપન કિચન છે? જાણો વાસ્તુ દોષ દૂર કરવાના સરળ ઉપાયો

ચુના માટી, પથ્થરથી બનેલું મંદિર 500 વર્ષ અડીખમ

વિષ્ણુ ભગવાનના અવતાર એવા નૃસિંહના મંદિર ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે, તેમાંથી ગુજરાતમાં બે મંદિર છે. જેમાં સુરતના સાંધીએર ગામે ભગવાન નૃસિંહનું મંદિર 500 વર્ષ કરતા વધુ સમયનું હોવાનું કહેવાય છે. આ મંદિરનું નિર્માણ ચુના અને પથ્થરોથી થયું હતું. તેમ છતાં 500 વર્ષ સુધી અડીખમ રહ્યું હતું. આઠેક વર્ષ પહેલાં મંદિરમાંથી કેટલાક પથ્થર પડવાનું શરુ થયું હતું. પ્રતિમા ખંડિત ન થાય તેથી ગામલોકોએ ભેગા મળીને નવા મંદિરનું નિર્માણ કર્યું છે. 

નવા મંદિરમાં લોખંડનો ઉપયોગ ન કરી શિલ્પ શાસ્ત્ર પર બન્યું નવું મંદિર

સાંધીએર 500 વર્ષ કરતાં વધુ જૂનું ભગવાન નૃસિંહ મંદિર આઠેક મહિના પહેલા જર્જરિત થયું હતું, તેથી ગામલોકોએ ફાળો ભેગો કરીને મંદિર બનાવ્યું હતું. ટ્રસ્ટી કહે છે, એવું કહેવાય છે કે મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવાનો હોતો નથી. તેથી આ મંદિર શિલ્પ શાસ્ત્ર પર બનાવ્યું છે અને લોખંડની ખીલીનો પણ ઉપયોગ કર્યો નથી. નૃસિંહ ભગવાન રાજસ્થાનના અનેક સમાજના કુળદેવતા છે પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક રાજસ્થાની વસવાટ કરે છે. તેમના કુળદેવતાના દર્શન માટે રાજસ્થાન જવાનું હોય છે, પરંતુ સમયના અભાવે હવે અનેક રાજસ્થાનીઓ આ મંદિરે તેમના કુળદેવતાના દર્શન માટે આવવા લાગ્યા છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…
GUJARAT

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…

March 4, 2026
કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…
GUJARAT

કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…

March 4, 2026
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…
GUJARAT

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

March 4, 2026
Next Post
યુદ્ધ લાંબું ખેંચાય તો દેશના સામાન્ય નાગરિક પર પડશે મોંઘવારીનો માર! જાણો ઈરાનથી શું શું ખરીદે છે ભાર…

યુદ્ધ લાંબું ખેંચાય તો દેશના સામાન્ય નાગરિક પર પડશે મોંઘવારીનો માર! જાણો ઈરાનથી શું શું ખરીદે છે ભાર...

કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી | Villagers strand…

કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી | Villagers strand...

અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…

અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

10 months ago
ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Lashes Gujarat IMD…

ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Lashes Gujarat IMD…

6 months ago
જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of …

જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of …

6 months ago
ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…

ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

10 months ago
ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Lashes Gujarat IMD…

ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Lashes Gujarat IMD…

6 months ago
જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of …

જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of …

6 months ago
ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…

ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News