![]()
Actor Rajinikanth vs Vijay : ચાહકોમાં ‘થલાઈવા’ નામથી જાણીતા તમિલ સુપર સ્ટાર રજનીકાંત અને અભિનેતા વિજયની રાજકીય પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’ (TVK)ના નેતા આધાવ અર્જુનના કારણે ઉભા થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અર્જુના નિવેદન બાદ રજનીકાંતના સમર્થકો ઘણા ગુસ્સામાં હતા. જોકે હવે રજનીકાંતે વિવાદ પર ચૂપ રહેવાનું ટાળીને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે સમર્થન કરનારા સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો છે અને કોઈપણ વધુ વિવાદ ઉભો કર્યા વગર પોતાની વાત રજુ કરી છે. તેમણે જે નિવેદન આપ્યું છે, તેનાથી તેમના ચાહકો ખુશ થઈ ગયા છે અને આધાવ અર્જુનની બોલતી પણ બંધ કરી દીધી છે.
આધાવ અર્જુને શું કહ્યું હતું ?
વિવાદ ઉભો થવાનું મૂળ કારણ આધાવ અર્જુન છે. તમિલનાડુ સરકાર વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, જેમાં વિજયની પાર્ટી ટીવીકેના મહાસચિવ આધાવ અર્જુને રજનીકાંતનો ઉલ્લેખ કર્યો હતો. અર્જુને દાવો કર્યો હતો કે, જ્યારે રજનીકાંતે રાજકારણમાં આવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સત્તાધારી DMKએ તેમને ધમકાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ ભારે વિવાદ ઉભો થયો હતો. આ કારણે અર્જુને સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેઓ રજનીકાંતની ટીકા કરવા નહોતા માંગતા, પરંતુ તેમની પાર્ટીના સંસ્થાપક વિજય કોઈપણ રાજકીય દબાણ સામે ઝુકવાના નથી, તેવું કહેવા માંગતા હતા. અર્જુનના આ નિવેદન બાદ રજનીકાંતના સમર્થકો અને અનેક રાજકીય દળોએ નારાજ થયા હતા. અર્જુનના નિવેદનને રજનીકાંતનું અપમાન ગણી માંફી માંગવાની માંગ કરવાની સાથે દેખાવો પણ શરૂ કર્યા હતા.
આ પણ વાંચો : ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર
ચોતરફથી સમર્થન મળતા રજનીકાંત ભાવુક, સમર્થકોને ભગવાન ગણાવ્યા
રજનીકાંતે સમગ્ર વિવાદ અંગે તમિલ ભાષામાં સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે આધાવ અર્જુનનો દાવો તથ્યો વગરનો અને ભ્રામક ગણાવ્યો છે. રજનીકાંતે વિવાદમાં તેમનું સમર્થન કરનારા તમામ રાજકીય નેતાઓ, ફિલ્મી હસ્તીઓ અને મીડિયા જગતના લોકોના આભાર માન્યો છે. રજનીકાંતે વિપક્ષના નેતા એડપ્પાદી કે. પલાનીસ્વામી, તમિલનાડુ ભાજપ અધ્યક્ષ નૈનાર નાગેન્દ્રન, કેન્દ્રીય મંત્રી એલ. મુરુગન, અન્નામલાઈ અને અન્ય મુખ્ય નેતાઓનો, નિર્દેશક અમીર અને ફિલ્મ જગતના મિત્રોનો પણ આભાર માન્યો છે. રજનીકાંતે ભાવુક સંદેશ આપીને પ્રશંસકોને ભગવાન ગણાવી કહ્યું કે, તેમનું સમર્થન તેમને હંમેસા શક્તિ આપે છે.’
રજનીકાંતે સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, ‘ટીવીકે પાર્ટીમાં મુખ્ય પદ પરના નેતા આધવ અર્જુને તાજેતરમાં મારા વિશે જે નિવેદન આપ્યું હતું, તેમાં કોઈ તથ્યો નથી. મારા સમર્થનમાં અવાજ ઉઠાવનારા અને અર્જુનની અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરનારા તમામ લોકોનું હું દિલથી આભાર માનું છું.’
આ પણ વાંચો : LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી










