gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી | Supreme Court…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in INDIA
0 0
0
રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી | Supreme Court…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Supreme Court vs Government Tussle : ભારતમાં સરકાર એટલે કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચેની તકરાર સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પછી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. એવામાં હવે સુપ્રીમ કોર્ટે પણ અરજીઓની સુનાવણી દરમિયાન જવાબ આપ્યો છે. 

શું અમે રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ?: સુપ્રીમ કોર્ટ

બંગાળમાં થઈ રહેલી હિંસાના કારણે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે અમારા પર પહેલેથી જ કાર્યપાલિકાના અધિકારક્ષેત્ર પર અતિક્રમણનો આરોપ લાગી રહ્યા છે. તમે ઈચ્છો છો કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે અમે રાષ્ટ્રપતિને આદેશ આપીએ?’ 

દુબે વિરુદ્ધ કેસ કરો, અમારી અનુમતિની જરૂર નથી: સુપ્રીમ કોર્ટ 

નોંધનીય છે કે આ સિવાય આજે સુપ્રીમ કોર્ટમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આપેલા નિવેદન વિરુદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી મુદ્દે પણ સુનાવણી થઈ. કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ નિશિકાંત દુબેના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જેના પર જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે તમે શું ઈચ્છો છો? તો વકીલે જવાબ આપ્યો કે હું અવમાનનાનો કેસ દાખલ કરવા માંગુ છું. જસ્ટિસ ગવઈએ જવાબમાં કહ્યું કે તો તમે કેસ કરો, અમારી અનુમતિની જરૂર નથી. તમારે એટોર્ની જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે. 

દેશમાં અરાજકતા ફેલાવવા માંગે છે સુપ્રીમ કોર્ટ: નિશિકાંત દુબે

મીડિયા સાથે વાતચીતમાં નિશિકાંત દુબેએ કહ્યું હતું, કે ‘સુપ્રીમ કોર્ટમાં પોતાની હદની બહાર જઈ રહી છે. દરેક વસ્તુ માટે સુપ્રીમ કોર્ટ જવું પડે તો પછી સંસદ અને રાજ્યોની વિધાનસભા બંધ જ કરી દેવી જોઈએ. દેશમાં થઈ રહેલા ગૃહયુદ્ધો માટે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જવાબદાર છે. અનુચ્છેદ 377માં સમલૈંગિકતાને ગુનો માનવામાં આવતું. હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન સૌ કોઈ માને છે કે સમલૈંગિકતા ગુનો છે. પણ સુપ્રીમ કોર્ટે કાયદો ખતમ કરી નાંખ્યો. આર્ટિકલ 368 હેઠળ સંસદને કાયદો બનાવવાનો અધિકાર છે જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે કાયદાની વ્યાખ્યા કરવાનો અધિકાર છે. આર્ટિકલ 141 અનુસાર અમે જે કાયદા બનાવીશું તે નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લાગુ થશે.’ 

સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કઈ રીતે નિર્દેશ આપી શકે?: દુબે 

નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર સીધો હુમલો કર્યો અને રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું છે, કે ‘જ્યારે રામ મંદિર કે કૃષ્ણ જન્મભૂમિ કે પછી જ્ઞાનવાપીની વાત આવે ત્યારે કહો છો કે કાગળ બતાવો. મસ્જિદ પર વાત આવે ત્યારે કહે છે કે કાગળ ક્યાંથી બતાવશે? સુપ્રીમ કોર્ટ હવે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પૂછી રહ્યા છે કે ખરડાઓના સંબંધમાં શું કરવાનું છે? ભારતના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ જ રાષ્ટ્રપતિ કરે છે, તો તમે રાષ્ટ્રપતિને નિર્દેશ કઈ રીતે આપી શકો? સંસદ દેશ માટે કાયદા બનાવે છે, તમે સંસદને નિર્દેશ આપશો? આવા નવા કાયદા તમે ક્યારે બનાવી લીધા? કયા કાયદામાં લખ્યું છે કે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા પડશે? સીધો અર્થ છે કે તમે (સુપ્રીમ કોર્ટ) દેશને અરાજકતા તરફ લઈ જવા માંગો છો. સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું.’

થોડા દિવસ અગાઉ ઉપરાષ્ટ્રપતિએ પણ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે થોડા દિવસ પહેલા જ ન્યાયપાલિકાની શક્તિઓ અને જવાબદારી અંગે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું, કે ‘બંધારણના આર્ટિકલ 142 હેઠળ કોર્ટને મળેલા વિશેષ અધિકારો હવે લોકતંત્રની શક્તિ વિરુદ્ધ ‘ન્યુક્લિયર મિસાઇલ’ બની ગયા છે. જજ સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે. આપણી પાસે એવા ન્યાયાધીશ છે કે કાયદા બનાવશે, સુપર સંસદના રૂપમાં કામ કરશે. પણ તેમની કોઈ જવાબદારી નહીં રહે, તેમના પર કોઇ કાયદા લાગુ નહીં થાય. જસ્ટિસ વર્માના ઘરમાંથી સળગેલી ચલણી નોટો મળી આવી છતાં કોઈ FIR કેમ ન થઈ? શું અમુક લોકો કાયદાની ઉપર છે? આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ત્રણ જજની કમિટી બની છે જેનો કોઈ બંધારણીય આધાર નથી. કમિટી માત્ર ભલામણ કરી શકે, કાર્યવાહીનો અધિકાર સંસદ પાસે છે. જો કોઈ સામાન્ય માણસના ઘરે પૈસા ઝડપાયા હોત તો પોલીસ અને તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હોત.’

તેમણે વધુમાં કહ્યું હતું, કે ‘હાલમાં જ એક ચુકાદામાં રાષ્ટ્રપતિને નિર્દેશ આપવામાં આવ્યા. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આ દેશમાં શું થઈ રહ્યું છે? એવી સ્થિતિનું નિર્માણ કરાઇ રહ્યું છે જ્યાં કોર્ટ રાષ્ટ્રપતિને નિર્દેશ આપશે, કયા આધારે? આપણે આવા લોકતંત્રની કલ્પના ક્યારેય નહોતી કરી.’ 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
Next Post
કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો | delhi mcd …

કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો | delhi mcd ...

એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ | rss chief mohan bhagwat …

એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ | rss chief mohan bhagwat ...

છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ | Chhattisgarh : IED Blast in …

છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ | Chhattisgarh : IED Blast in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

4 months ago
પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

4 months ago
વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev…

વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev…

6 months ago
‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

4 months ago
પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

4 months ago
વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev…

વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev…

6 months ago
‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News