
નર્મદા વિભાગમાં લોલંલોલ ઃ કટુડા-રાજસીતાપુરની માઇનોર
૨૫ લાખના ખર્ચે બાવળ દૂર કરવાની કામગીરીમાં કરોડોના ખર્ચે બનેલી કેનાલ તોડી નંખાતા ખેડૂતોમાં રોષ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરના કટુડાથી રાજસીતાપુર વચ્ચેની ૩ કિમી લાંબી માઇનોર કેનાલમાં ૨૫ લાખના ખર્ચે બાવળ કટીંગ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલ જ ઉખેડી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. ૧૨ વર્ષથી બિનઉપયોગી કેનાલને રીપેરીંગના નામે હવે ફરી ૮૦ લાખનું આંધણ કરવાની તૈયારી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની કામગીરી સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.










