![]()
મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાએ શહેરના સરદાર એસ્ટેટ, વારસિયા, હાથીખાના, છાણી, જૂના પાદરા રોડ, વાડી, વાઘોડિયા રોડ અને મકરપુરા સહિતના વિસ્તારોમાં અણધાર્યું ચેકિંગ હાથ ધર્યું હતું.
આ કામગીરી દરમિયાન મરચાં-હળદર પાવડર, પનીર, દાબેલી, દાલ મખની, કેરીનો રસ, આઇસ્ક્રીમ સહિત કુલ ૪૫ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈ ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા હતા. લેબ રિપોર્ટ મુજબ ૪ સેમ્પલ ફેલ થયા છે, જેમાં ડભોઇ-વાઘોડિયા રોડના વ્રજ ફૂડ્સનું બેસન, હાથીખાનાના શ્રી માધવ ટ્રેડર્સનો હળદર પાવડર, છાણી રોડના ગોકુળ ટ્રેડર્સનું પનીર અને માંજલપુર રોડ સ્થિત રિલાયન્સ રિટેલ લિમિટેડની ચણાદાળનો સમાવેશ થાય છે.
સાથે જ ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૂ.૫૮,૫૦૦નો દંડ ફટકારાયો હતો. આરોગ્ય મંત્રી અને ફૂડ સેફટી કમિશનરના નિર્દેશ મુજબ ૧૨૫ હોટલ-રેસ્ટોરન્ટમાં પનીર-ચીઝ, પનીર-ચીઝ/એનાલોગના ઉપયોગ અંગે પણ ચકાસણી થઈ હતી, જેમાં ૭ એકમોને નોટિસ પાઠવી તેનું વેચાણ કરતા વેપારીઓને ગ્રાહકોને સ્પષ્ટ રીતે દેખાય તે રીતે બોર્ડ અને મેનુમાં દર્શાવવા જણાવ્યું છે.










