![]()
સાયબર સેલના ૪ પોલીસ કોન્સ્ટેબલની બદલી થઈ
એલસીબી, એસઓજી શાખામાં નવા અધિકારીઓને મુકાયા
ભાવનગર – ભાવનગર પોલીસબેડામાં ફરજ બજાવતા ૧૯ પીઆઈ અને ૧૨ પીએસઆઈની બદલીના આદેશ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ સાયબર સેલના ૪ પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી થઈ છે. એલસીબી અને એસઓજી શાખામાં નવા અધિકારીઓને મુકવામાં આવ્યા છે.
ભાવનગર પોલીસબેડામાં ફરજ બજાવતા પીઆઈ અને પીએસઆઈની બદલીના આદેશ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં ૧૯ પીઆઈ અને ૧૨ પીએસઆઈની તથા સાયબર સેલમાં ફરજ બજાવતા ૪ પોલીસ કોન્સ્ટેબલને લીવ રિઝર્વ અટેચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બદલી થઈ છે. જેમાં એસઓજી પીઆઈ સુનેસરાની લીવ રિઝર્વ અટેચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બદલી થઈ છે. તેમના સ્થાને કચ્છમાંથી બદલી થઈને ભાવનગર પોલીસમાં લીવ રિઝર્વમાં રહેલા શિંગરખીયાને લીવ રિઝર્વ અટેચ ઈન્ચાર્જ એસઓજી પીઆઈનો ચાર્જ સોંપાયો છે. તેમજ એલસીબીમાં એમ.એમ.સરવૈયાને મુકાયા છે તથા અલંગ પોલીસ મથકના પીએસઆઈ વાઢેરને લીવ રિઝર્વ અટેચ એલસીબી શાખામાં મુકવામાં આવ્યા છે. તદઉપરાંત લીવ રિઝર્વમાંથી પીઆઈ ગઢવીની સિહોર બદલી થઈ છે. જેઓ પ્રો.આઈપીએસ મૌસમ મહેતાના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે. તેમજ ભાવનગર ગ્રામ્ય એએસપી ઘનશ્યામ ગૌતમને જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ મથકના સુપરવિઝનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આમ, જિલ્લા પોલીસવડાએ કરેલી બદલીના આદેશ પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યા છે.










