gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે | when ind…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે | when ind…
1
VIEWS
Share on FacebookShare on Twitter


Pakistani Army had to Surrender: 22 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પગલે ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભરતા સિંધુ જળ સંધિ સ્થગિત, અટારી-વાઘા બોર્ડર બંધ કરી, પાકિસ્તાની નાગરિકોના વિઝા પર પ્રતિબંધ, SAARC વિઝા મુક્તિ સમાપ્ત અને પાકિસ્તાની હાઇ કમિશનમાં લશ્કરી સલાહકારોને હાંકી કાઢવામાં આવ્યા. એવામાં હવે મોદી સરકાર પાસેથી નેવી બ્લોકેજની માંગ કરવામાં આવી રહી છે. તો જાણીએ નેવી બ્લોકેજ થાય તો શું પરિણામ આવી શકે. 

ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન માત્ર 12 જ દિવસમાં પાક. સેનાને ઘૂંટણીયે લાવી દીધી

3 ડિસેમ્બર 1971 ના રોજ, જ્યારે પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર આવેલા પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં પર હવાઈ હુમલા શરૂ કર્યા, ત્યારે સામે ભારતે પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી નાગરિકો અને હિન્દુઓનો બદલો લીધો એટલું જ નહિ પણ માત્ર 12 જ દિવસમાં પાકિસ્તાની સેનાને ઘૂંટણીયે લાવી દીધી હતી. જેના કારણે પાકિસ્તાનના અર્થતંત્રને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. 

1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, ભારતે કરાંચી બંદર પર નેવીને બ્લોક કરી હતી. 3 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલેલા તે યુદ્ધમાં નૌકાદળના અવરોધનો નિર્ણય નિર્ણાયક સાબિત થયો. ઓપરેશન ટ્રાઇડેન્ટ અને ઓપરેશન પાયથને માત્ર 12 દિવસમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ધ્વંસ કરી દીધી હતી. 

પાકિસ્તાનની નેવી અને અર્થતંત્રને ભારે નુકસાન

4 ડિસેમ્બર 1971 ની રાત્રે ભારતીય નેવીએ કરાંચી બંદર પર હુમલો કર્યો. આ કામગીરીમાં, મિસાઇલ બોટ (INS નિપટ, INS નીરઘાટ અને INS વીર) દ્વારા સ્ટાઇક્સ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે ભારતે યુદ્ધમાં એન્ટી-શિપ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. 

આ કાર્યવાહીમાં, પાકિસ્તાની નેવીના જહાજો PNS ખૈબર અને PNS મુહાફિઝ કરાંચી બંદર પર ડૂબી ગયા હતા. બંદરના તેલ ભંડારમાં આગ લાગવાને કારણે તેલનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ હુમલાથી પાકિસ્તાનની નેવી અને અર્થતંત્રને ભારે નુકસાન થયું.

ઓપરેશન પાયથન

આ પછી, બાકીનું કામ ભારતીય નેવીના ઓપરેશન પાયથન દ્વારા કરવામાં આવ્યું. ભારતીય નેવીએ 8-9 ડિસેમ્બર 1971ની મધ્યરાત્રિએ કરાંચી બંદર પર બીજો હુમલો કર્યો. આ વખતે INS વિનાશ અને બે ફ્રિગેટ્સ INS તલવાર અને INS ત્રિશૂલએ કરાંચી પર હુમલો કર્યો. ફરીથી મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો અને બંદર પર બાકી રહેલી તેલ ટાંકીઓને નષ્ટ કરવામાં આવી. 

આ હુમલાએ કરાંચી બંદરને સંપૂર્ણપણે બંધ કરી દીધું. પાકિસ્તાનનો તેલ પુરવઠો અને વેપાર ઠપ્પ થઈ ગયો, જેના કારણે તેના અર્થતંત્ર અને લશ્કરી કામગીરી પર ગંભીર અસર પડી. આ હુમલા બાદ પાકિસ્તાની નેવી માત્ર બંદર સુધી જ સીમિત રહી. તેમજ ભારતે દરિયાઈ માર્ગો બંધ કરી દીધા, જેના કારણે પાકિસ્તાનના 85% તેલ ભંડાર પર અસર પડી. 

અહેવાલો અનુસાર, 50% થી વધુ તેલ ભંડાર બળી ગયા હતા, જેના કારણે આગ 10-15 દિવસ સુધી ચાલુ રહી હતી. આ કારણે પાકિસ્તાનને તેલ આયાત કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. 90% દરિયાઈ વેપાર કરાંચી દ્વારા થતો હતો. આ નાકાબંધીને કારણે આયાત-નિકાસ અટકી ગઈ, જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ. જેના કારણે પાકિસ્તાનને અંદાજિત 10 કરોડ ડોલરથી વધુનું નુકસાન થયું. ત્યારબાદ 16 ડિસેમ્બરે પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ બન્યો.


જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરાજાહેર હત્યા, બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા | congress leader …
INDIA

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરાજાહેર હત્યા, બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા | congress leader …

September 27, 2025
ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra…
INDIA

ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત | Gurugram Highway Tra…

September 27, 2025
‘ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું…’ UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી | india slams pakist…
INDIA

‘ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું…’ UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી | india slams pakist…

September 27, 2025
Next Post
ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ, લોકો રસ્તા પર ઉતરતા પોલીસનો લાઠીચાર્જ

ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ, લોકો રસ્તા પર ઉતરતા પોલીસનો લાઠીચાર્જ

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં, ખાડામાંથી બહાર નીકળેયા લોખંડના સળીયા વાહનચાલકો માટે …

રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં, ખાડામાંથી બહાર નીકળેયા લોખંડના સળીયા વાહનચાલકો માટે …

2 weeks ago

China To Build Indonesia’s Longest Bridge In North Kalimantan

7 months ago
ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

2 months ago
બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું

બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં, ખાડામાંથી બહાર નીકળેયા લોખંડના સળીયા વાહનચાલકો માટે …

રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં, ખાડામાંથી બહાર નીકળેયા લોખંડના સળીયા વાહનચાલકો માટે …

2 weeks ago

China To Build Indonesia’s Longest Bridge In North Kalimantan

7 months ago
ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

2 months ago
બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું

બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News