![]()
અમદાવાદ,ગુરુવાર,23
એપ્રિલ,2026
અમદાવાદના નિકોલમાં આવેલા ૧૧૩, રોયલ બંગ્લોઝમાં
પહેલા માળ ઉપર કોઈપણ જાતની પરવાનગી વગર
ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ૫૦૦ ગ્રામના પેક જાર
તથા ૧૦૦ મી.લી.ના પેકજાર મળી કુલ રુપિયા ૧.૬૦ લાખની કિંમતનો ૪૦૦ કિલોગ્રામ
ડુપ્લીકેટ જથ્થો સીઝ કર્યો છે.વેજીટેબલ ફેટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી
ડુપ્લીકેટ અને ભેળસેળીયું ગાયનું ઘી બનાવવામા આવતુ હતુ.જે જગ્યાને મેન્યુફેકચર
એન્ડ પેક બાય તરીકે દર્શાવી ગાયના ઘીના નામે ઉત્પાદન કરવામા આવતુ હતુ.તેના
લાયસન્સની મુદત પુરી થઈ ગઈ છે એવા મુરલીધર ફુડ પ્રોડકટસના નામે માલીક રામગોપાલ કુંપાવત તેમના ઘરમાં ડુપ્લીકેટ
ઘી બનાવતા હતા.ફુડ વિભાગે સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે.
અમદાવાદમાં પનીરના
નામે અપાતા એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરાયા
પછી નિકોલના એક રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ ઘી બનાવાનુ કૌભાંડ મ્યુનિ.ના ફુડ
વિભાગે ઝડપી પાડયુ છે. આરોગ્ય અધિકારી ડોકટર તેજસ શાહે કહયુ,રહેણાંક મકાનમાં
કોઈપણ જાતની પરવાનગી વગર ડુપ્લીકેટ ઘી બનાવાતુ હોવાની બાતમીના આધારે ફુડ વિભાગની
ટીમે સ્થળ તપાસ કરતા લાયસન્સ કે રજિસ્ટ્રેશન મેળવ્યા વગર ધંધો કરવામા આવતો હતો.કાઉ
ઘી મંગલમૂર્તિ બ્રાન્ડના નામે પેકીંગ કરવામા આવતુ હતુ.આ ઉપરાંત મુરલીધર ફુડ
પ્રોડકટસ, સી-૪૪, વેદ ઈન્ડસ્ટ્રીયલ
પાર્ક-૨,કઠવાડા,નિકોલ વાળી
જગ્યાને મેન્યુફેકચર એન્ડ પેકડ બાય તરીકે દર્શાવીને ગાયના ઘીના નામે ઉત્પાદન
કરવામા આવતુ હતુ અને લેબલ ઉપર દર્શાવવામાં આવતુ હતુ.મુરલીધર ફુડ પ્રોડકટસ ઘણાં સમય
પહેલાથી જ બંધ છે. લાયસન્સની મુદત પણ પુરી થઈ ગયેલી છે.સ્થળ ઉપરથી ડુપ્લીકેટ ઘી
ભરી પેકીંગ કરવા માટે ખાલી ૫૦૦ ગ્રામના
જાર અને ૧૦૦ મી.લી.ના જાર,
જાર ઉપર લગાવવાના લેબલનો અંદાજિત ૫૦૦ કિલોગ્રામ જથ્થો,પેકીંગ કરવાના
સાધનો, ગેસ
સિલિન્ડર,તપેલા
અને ટબ સહિતની અન્ય સાધન સામગ્રી પણ તંત્ર દ્વારા સીઝ કરવામા આવી છે.










