Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં નજરે આવી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા બાદ વધુ આકરા પગલા ભરાવ અને રણનીતિ ઘડવા માટે આજે (29 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને ત્રણ કલાક સુધી યોજાયેલી હાઈ લેવલ બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં શું થઈ ચર્ચા?