Assam CM Himanta Biswa Sarma : આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ આજે (2 મે) કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી છે કે, જો લોકો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવે, તો તેમના ટાંટિયા તોડી નાખવામાં આવશે.
‘આપણામાંથી કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદ કહી રહ્યા છે’
પંચાયત ચૂંટણીની એક પ્રચાર રેલીમાં સંબોધન કરતી વખતે આસામના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને શક્તિ આપવા લોકોને પ્રાર્થના કરવાની અપીલ કરી છે, જેથી કરીને વિશ્વભમાં ક્યાં પણ છુપાયેલા પાકિસ્તાની આતંકવાદીઓનો સફાયો કરી શકાય. તેમણે ચેતવણી આપી છે કે, ‘પાકિસ્તાની આતંકવાદીઓ આવ્યા અને નિર્દોષ લોકોને મારી નાખ્યા.