
Vadodara : વડોદરાના કરજણ તાલુકાના સંભોઈ ગામમાં મહાદેવ મંદિર ફળિયામાં રહેતા નરેન્દ્રસિંહ નરપતસિંહ પરમાર (ઉ.વ.38) ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા. પરંતુ ધંધો સારો નહિં ચાલતો હોવાથી તેઓ સાતત ચિંતિત રહેતા હતા. ધંધાની ચિંતાના કારણે પોતાને મનોમન લાગી આવતા પોતાના ખેતરે જઇ તા.4ના રાત્રે જઈને ઝેરી દવા પી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન ગઈ રાત્રે મોત નીપજ્યું હતું.










