![]()
SC/ST Act: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે દલિતો સામેના અત્યાચાર સંબંધિત કેસમાં, એટલે કે SC/ST એક્ટ 1989 હેઠળ નોંધાયેલા કેસોમાં, કોઈપણ આરોપીને ફક્ત ત્યારે જ આગોતરા જામીન આપી શકાય છે જ્યારે પ્રથમ દૃષ્ટિએ સ્પષ્ટપણે સાબિત થાય કે આરોપી સામે કોઈ કેસ નથી. એટલે કે, પ્રથમ નજરે જ એ હકીકત સાબિત થવી જોઈએ કે આરોપીએ દલિત સમુદાય સામે કોઈ હિંસા કરી નથી.
અરજદારનું જાહેરમાં જાતિનું નામ આપીને અપમાન કર્યું
મંગળવારે CJI બીઆર ગવઈ, જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદો નબળા વર્ગોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો હતો અને તે આરોપીઓને ધરપકડ પૂર્વે જામીન પર પ્રતિબંધ મૂકે છે. આ સાથે, બેન્ચે જાતિ આધારિત અત્યાચારના આરોપોનો સામનો કરી રહેલા આરોપીને આગોતરા જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો.
આ પણ વાંચો: પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ
SC/ST કાયદાની કલમ 18નો ઉલ્લેખ
બેન્ચે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાની કલમ 18નો ઉલ્લેખ કરતા કહ્યું કે આ જોગવાઈ સ્પષ્ટપણે ફોજદારી કાર્યવાહી સંહિતા (CRPC) ની કલમ 438 (આગોતરા જામીન આપવા અંગે) લાગુ ન કરવા વિશે છે અને આ કલમ હેઠળ દાખલ કરાયેલી અરજીઓને સુનાવણીમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરે છે. કોર્ટે કહ્યું કે આ જોગવાઈ સાથે, SC/ST કાયદાની કલમ 18 આરોપીને આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ મૂકે છે.
જોકે, બેન્ચે આવા કેસોમાં આગોતરા જામીન આપવા માટે લક્ષ્મણ રેખા દોરતા કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3 હેઠળ, જો પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય કે આરોપીએ આ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું નથી, તો કોર્ટને CRPCની કલમ 438 હેઠળ દાખલ કરાયેલી અરજીઓ પર વિચાર કરતી વખતે આરોપીને આગોતરા જામીન આપવાનો વિવેક છે.










