![]()
Vadodara : અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ત્રિ-દિવસીય ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલો કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ અને દર્શનમ વચ્ચે થયો હતો, જેમાં દર્શનમ ટીમે 127 રનથી શાનદાર જીત મેળવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે, જ્યારે કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ટીમ રનર્સ-અપ રહી છે.
ફાઇનલ તથા સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરાયા છે. ફાઇનલની બંને ઇનિંગ્સમાં આઠ વિકેટ ઝડપતા દર્શનમ ટીમના યુવરાજ સોલંકી પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે. મોતીબાગ ક્રિકેટ ક્લબના સ્મિત રાઠવાને ટુર્નામેન્ટના બેસ્ટ બેટરનો ખિતાબ પ્રાપ્ત થયો છે. આ ટુર્નામેન્ટમાં એમણે 640 રન નોંધાવ્યા હતા, તેમાં સર્વોચ્ચ સ્કોર 246 રહ્યો છે. આ ઉપરાંત 36 વિકેટો ઝડપી તરખાટ મચાવનાર કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટના કબીર દેસાઈને બેસ્ટ બોલર અને 16 કેચ, 3 સ્મ્પીંગ અને 3 રન આઉટ કરવા બદલ ઇસ્લામ જીમખાનાના જયેન્દ્ર વ્યાસને બેસ્ટ ફિલ્ડર તરીકે સન્માનિત થયા છે. બાલભવનના આદિત્ય યાદવએ 571 રન બનાવી અને 17 વિકેટ ઝડપી ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પ્રાપ્ત થયો છે.
યુવા પ્રતિભાઓ માટે મહત્વપૂર્ણ મંચ આ ટુર્નામેન્ટ ભારત અને બરોડા માટે રમેલા પ્રતિષ્ઠિત ઓલરાઉન્ડર સ્વ. મામાસાહેબ ઘોરપડેની સ્મૃતિમાં યોજાય છે.










