Bihar Politics News : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને 10મી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નીતિશ કુમાર સોમવારે પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. નીતિશ કુમારની સાથે કેન્દ્રીય મંત્રી લલન સિંહ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

25 મિનિટ સુધી મુલાકાત ચાલી
વડાપ્રધાન મોદી (PM Narendra Modi) અને નીતિશ કુમાર (CM Nitish Kumar) વચ્ચે આશરે 25 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. ત્યારબાદ તેમણે ગૃહ મંત્રી સાથે પણ 15 મિનિટ સુધી ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકોમાં બિહારના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સમન્વયને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત પ્રતિબદ્ધતા
ગૃહ મંત્રીએ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA સરકાર બિહારમાં જનકલ્યાણ અને સુશાસનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને બિહારના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે.’
આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે
આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો










