
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની ભારતની મુલાકાતથી ધૂંધવાયેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનનાં પાટનગર કાબુલ તથા પક્તિઆ કરેલી અકારણ અને અચાનક એરસ્ટ્રાઇક્સનો વળતો જવાબ આપતાં અફઘાન દળોએ વળતા હુમલા કરતાં ૫૮ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાં છે. આ ઉપરાંત અફઘાન સૈનિકોને પાકિસ્તાનની સરહદમાં ઘૂસી તેની ૩ ચોકીઓ ઉડાવી દીધી છે અને તેમાં રહેલો તમામ શસ્ત્ર સરંજામ હસ્તગત કર્યો છે.
આ માહિતી આપતાં હેલ્મનદ પ્રાંતની સરકારના પ્રવક્તા મવાલવી મોહમ્મદ કાસીમ રિયાઝે કહ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાન સીમા પરની ડુરાંડ લાઈનથી ઉપરનાં બહેરામપુર જિલ્લામાં તો ખૂનખાર યુદ્ધ થયું હતું. પાકિસ્તાને અકારણ અને કોઈપણ ઉશ્કેરણી વિના કરેલી એરસ્ટ્રાઇક્સના વળતા જવાબ રૂપે અમે પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદે રહેલા હેલ્મનદ, કંદહાર, ઝાબુલ, પક્તિકા, પક્તિઓ, ખોસ્ત, નંધાર અને કુનાર જિલ્લાઓમાં વળતા પ્રહારો કર્યા હતા.










