gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : કંપની પીડિતોને માટે શું કરી રહી છે, ક્યારે આવશે ફાઈનલ રિપોર્ટ? CEOએ આ…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : કંપની પીડિતોને માટે શું કરી રહી છે, ક્યારે આવશે ફાઈનલ રિપોર્ટ? CEOએ આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad Air India Plane Crash : અમદાવાદમાં 12 જૂન-2025ના રોજ બી. જે. મેડિકલ કોલેજ ઉપર એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરો સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારે આ ઘટનાના પાંચ મહિના બાદ એર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કેમ્પબેલ વિલ્સને આજે (29 ઓક્ટોબર) મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વિલ્સને વિમાન દુર્ઘટનાને વિનાશક અને દુઃખદ ગણાવી કહ્યું કે, એરલાઈન પીડિત પરિવારો અને દુર્ઘટના સાથે જોડાયેલા તમામ લોકોને શક્ય તમામ મદદ કરી રહી છે.

અમે અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ : વિલ્સન

દિલ્હીમાં આયોજિત ‘એવિએશન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા 2025’ સંમેલનમાં વિલ્સને કહ્યું કે, ‘ક્રેશ ઘટનાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે, વિમાન, એન્જિન કે સંચાલન પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. અમે અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. જો તે રિપોર્ટમાંથી કંઈક શીખવાનું મળશે તો અમે ચોક્કસપણે સુધારો કરીશું. એર ઈન્ડિયા કંપની પીડિત પરિવારોને તમામ પ્રકારની મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ વચગાળાનું વળતર આપવાની પ્રક્રિયા પુરી કરી દીધી છે. હવે અંતિમ વળતર પર કામ ચાલી રહ્યું છે.’

આ પણ વાંચો : VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે ચક્કાજામ

12 જૂને એર ઈન્ડિયાનું પ્લાન ક્રેશ થયું હતું

ઉલ્લેખનીય છે કે, 12 જૂને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ટેકઓફ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ નં.AI171 ટેકઓફના થોડા સમય બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ફ્લાઈટ રન-વેથી 1.7 કિલોમીટર દૂર બી.જે.મેડિકલ કૉલેજ પર ક્રેશ થઈ હતી, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. 

તપાસ રિપોર્ટમાં શું હતું?

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ટેકઓફના તરત જ એક સેકન્ડમાં બંને એન્જિનોનો ફ્યૂલ સપ્લાટ બંધ થઈ ગયો હતો, જેનાથી કોકપિટમાં મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી. કોકપિટ વૉઇસ રેકોર્ડિંગમાં એક પાઈલટ બીજા પાઈલટને કહી રહ્યો છે કે, તમે ઇંધણ કેમ કાપ્યું? જેના પર બીજા પાયલોટે તેને કહી રહ્યો છે કે, મેં એવું નથી કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સાતમી ઓક્ટોબરે સ્પષ્ટ કહ્યું હતું કે, દુર્ઘટનાની તપાસમાં કોઈ ગડબડ કે દબાણ નથી અને તપાસ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે ચાલી રહી છે.

આ પણ વાંચો : નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી



G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…
INDIA

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…

April 11, 2026
‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…
INDIA

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

April 11, 2026
ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…
INDIA

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

April 11, 2026
Next Post
કમિશન રૂ.5,000થી વધારીને 50,000 કરવા સસ્તા અનાજની દુકાન ધારકોની માગ | Fair Price Shop owners demand …

કમિશન રૂ.5,000થી વધારીને 50,000 કરવા સસ્તા અનાજની દુકાન ધારકોની માગ | Fair Price Shop owners demand ...

VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે... મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે...

ઢોર પાર્ટીના કર્મચારીઓને 11 મહિના પછી છુટા કરવાના બદલે કાયમી કરો : કોંગ્રેસ | Instead of firing catt…

ઢોર પાર્ટીના કર્મચારીઓને 11 મહિના પછી છુટા કરવાના બદલે કાયમી કરો : કોંગ્રેસ | Instead of firing catt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

4 months ago
‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

10 months ago
અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

4 months ago
નિઝામપુરા ખાતે હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of main acc…

નિઝામપુરા ખાતે હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of main acc…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

4 months ago
‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

10 months ago
અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

4 months ago
નિઝામપુરા ખાતે હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of main acc…

નિઝામપુરા ખાતે હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of main acc…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News