
Subhash Bridge In Ahmedabad: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સુભાષબ્રિજ પર પડેલી તિરાડો અને સ્પાન બેસી જવાની ગંભીર ઘટના બાદ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન વાડજ સર્કલ ખાતે ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે અને વાહનચાલકો ટ્રાફિક જામથી પરેશાન છે. જેનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક ખુદ વાડજ સર્કલ ખાતે પહોંચ્યા હતા અને ટ્રાફિકની સમસ્યા તથા તેના નિરાકરણ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.










