| પ્રતિકાત્મક તસવીર |
Ahmedabad News : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા સહિતની કામગીરીને લઈને ટ્રાફિકજામની સમસ્યા રહેતી હોય છે. તેવામાં એસજી હાઈવે પરના પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફના છેડે ખાનગી વીજ કંપનીના ખોદકામને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી ઈડન હોટલ સુધીનો એક તરફનો રસ્તો 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વાહની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા છેડે અનામિક હાઈટથી ઈડન હોટલની વચ્ચે ડિવાઈડરની પાસે ખાનગી વીજ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી હાથ ધરવાની છે.

જેને લઈને આવતીકાલે સોમવાર(22 ડિસેમ્બર) થી 31 ડિસેમ્બર, 2025ના રાત્રે 12 વાગ્યા સુધી પકવાન બ્રિજ પાસેનો રોડ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
આ પણ વાંચો: વાહ રે તંત્ર! અમદાવાદમાં લારી ગલ્લા જપ્ત કરી લાખોનો દંડ વસુલ્યો, આડેધડ ખોદકામ અને ટ્રાફિક જામનું શું?
વૈકલ્પિક માર્ગ
ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ જણાવવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજ તરફથી આતો ટ્રાફિક થલતેજ અંડરપાસ તઈને ગોતા ગાંધીનગર તરફ જઈ શકશે. જ્યારે પકવાન બ્રિજની નીચેથી આવતો ટ્રાફિક પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી બંધ માર્ગની બાજુમાં સર્વિસ રોડનો ઉપયોગ કરીને થલતેજ-ગાંધીનગર જઈ શકશે.










