
– ઇન્ડિગોના સીઇઓ પીટર ઉડ્ડયન મંત્રી નાયડૂને મળ્યા
– મંગળવારે પણ 422થી વધુ ફ્લાઇટ્સ રદ, સપ્તાહનો આંકડો ચાર હજારને પાર, હજારો મુસાફરો મુશ્કેલીમાં
નવી દિલ્હી : દેશના મોટાભાગના એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો છેલ્લા એક સપ્તાહથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇન્ડિગો દ્વારા દરરોજ અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઇન્ડિગોની ફ્લાઇટોની ઉડાનમાં ૧૦ ટકાનો કાપ મુકી દીધો છે. આ ૧૦ ટકા ઉડાનની તક હવે અન્ય એરલાઇન્સને આપવામાં આવશે.










