![]()
Indigo Crisis: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલનમાં અવ્યવસ્થા બુધવારે (10 ડિસેમ્બર) પણ યથાવત રહી છે. શનિવાર બાદ આજે પણ ઇન્ડિગો એરલાઇન્સની મોટા ભાગની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચોઃ જામનગરમાં પિતરાઇ ભાઇએ છરીના ઘા ઝીંકી કરી હત્યા, પત્નીને ભગાડી ગયો હોવાનું રહસ્ય ખૂલ્યું
ઇન્ડિગોની 23 ફ્લાઇટ કેન્સલ
આજે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની અમદાવાદથી જતી કુલ 23 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. કેન્સલ થયેલી ફ્લાઇટની યાદી નીચે મુજબ છે:
- મુંબઈ- 5112, 5192, 6794, 803, 5125, 2046
- દિલ્હી- 2209, 6731, 6094, 2491
- બેંગ્લોર- 996, 6546, 823, 6422
- ચેન્નઈ- 679
- હૈદરાબાદ- 6928
- તિરુવનંતપુરમ- 6237
- લખનૌ- 935
- અજમેર- 7401
- ગુવાહાટી- 6441
- કોલકાતા- 966
- પુણે- 699
- ગોવા- 6418
જોકે, ઇન્ડિગોની આજે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી કુલ 40 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી, જેમાં 20 અરાઇવલ અને 20 ડિપાર્ચર ફ્લાઇટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ
અન્ય એરલાઇન્સની આકાસા એરની અંદામાન અને નિકોબારથી આવતી QP 1926 નંબરની ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે એર ઇન્ડિયાની ગેટવિકની AI 160 ની ફ્લાઇટ ડીલે થઈ હતી. આ સિવાય જઝીરા એરવેયઝની કુવૈત સિટીની J9 406 ની ફલાઇટ ડીલે થઈ હતી. અમદાવાદથી જતી ફ્લાઇટમાં અકાસા એરની QP 1332 ફ્લાઇટ ડીલે થઈ હતી અને સ્પાઇસજેટની દુબઇ જતી SG 015 ની ફલાઇટ પણ ડીલે થઈ હતી.










