![]()
Fire Occurred At Jama Masjid in Mirzapur: ઉત્તર પ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આવેલી જામા મસ્જિદમાં રાતે આગ લગાવી દેવામાં આવી હતી. મસ્જિદનો ગેટ પણ આ આગની લપેટમાં આવી ગયો હતો. આ સાથે જ મસ્જિદના ગેટને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી અને ભારે સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.
હવે મિરઝાપુર પોલીસે એ તમામ લોકોની ધરપકડ કરી લીધી છે જેમણે મસ્જિદમાં આગ લગાવી હતી. તમને જણાવી દઈએ કે, આ તમામ લોકો મસ્જિદમાં આગ લગાવીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસે તપાસ બાદ આ તમામને દબોચી લીધા છે.
જાણો કેમ લગાવી આ આગ
આ સમગ્ર ઘટના મિરઝાપુરના ચુનાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોચી ટોલામાં સ્થિત જામા મસ્જિદમાં ઘટી હતી. અહીં રાતે લગભગ 2:00 વાગ્યે મસ્જિદમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી. આ જોઈને ઘટનાસ્થળે હડકંપ મચી ગયો અને લોકોએ પોલીસને ઘટના અંગે જાણ કરી.
આ આગની લપેટમાં મસ્જિદના મુખ્ય ભવનનો ગેટ, લાકડાના દરવાજા આવી ગયા અને મસ્જિદમાં રાખેલો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આ મામલે પોલીસે 5 યુવકોને જેલ ભેગા કરી દીધા છે.
તપાસમાં સામે આવ્યું છે કે, દારૂના નશામાં આ યુવકોએ મસ્જિદમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ઊભો થયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી.
પોલીસે 5 યુવકોની ધરપકડ કરી
ઈન્સ્પેક્ટર વિજય શંકર સિંહના જણાવ્યા પ્રમાણે પોલીસે આ મામલે રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરી છે. આ તમામની અલગ-અલગ સ્થળોએથીધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે બધા દારૂના નશામાં હતા.
આ પણ વાંચો: અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ચિંતિત
આ સમગ્ર મામલે મનીષ કુમાર મિશ્રા (ASP મિરઝાપુર ) એ જણાવ્યું કે, ‘આ ઘટના દારૂના નશામાં બની હતી. કેસ નોંધી લેવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.’










