![]()
કોન્સ્ટેબલે આપઘાત કરતાં બે દિકરી અને દિકરાએ પિતાની
છત્રછાયા ગુમાવી ઃ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ
માણસા : ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી)માં ફરજ બજાવતા
પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને
ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આજે સવારના પિતા રૃમમાં જતાં દૃશ્યો જોઈને
ફસડાઈ પડયા હતા. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી.
કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ
અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
માણસા તાલુકાના હરણાહોડા ગામે પરિવાર સાથે રહેતા ૩૨ વર્ષીય
નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા ગાંધીનગર એસ.ઓ.જી.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા
હતા તેમના પરિવારમાં તેમની પત્ની,
બે દીકરી અને દોઢ વર્ષનો એક દીકરો છે પિતા ખેતી અને પશુપાલન કરે છે રવિવારે
સવારે નરેન્દ્રસિંહ તેમની પત્ની અને બાળકોને તેમના સાસરી કોલવડા ખાતે મૂકીને
ગાંધીનગર પોતાની ફરજ પર ગયા હતા તેઓ ડીઆઇજી કચેરી ખાતે રીડર શાખામાં ફરજ બજાવતા
હતા અને તેમની નોકરી સ્પેશિયલ ઓપરેશન ગુ્રપમાં હતી ફરજ પરથી પરત આવ્યા બાદ
નરેન્દ્રસિંહે ઘરે જઈને પિતા ઈશ્વરસિંહ સાથે રાત્રે ભોજન લીધું હતું અને બાદમાં
પોતાના રૃમમાં સૂવા ગયા હતા. આજે સવારે પિતા ઈશ્વરસિંહ વહેલા ઊઠીને પાણી આવ્યું
હોવાથી દીકરા નરેન્દ્રસિંહને ઉઠાડવા માટે તેના રૃમમાં ગયા હતા અને રૃમની અંદરનું
દ્રશ્ય જોઈને તેઓ ફસડાઈ પડયા હતા. નરેન્દ્રસિંહ પંખે લટકેલી હાલતમાં હતા આ બનાવના
પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઈએ આ અંતિમ પગલું
ભરતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક માણસા પોલીસ
સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનું પંચનામું સહિતની કાનૂની પ્રક્રિયા શરૃ કરી
હતી. આ અંગે માણસા પીઆઈ પી. જે. ચૂડાસમાએ જણાવ્યું કે હાલમાં આપઘાતનું કારણ અકબંધ
છે. ગઈકાલે નરેન્દ્રસિંહ પોતાની ફરજ પર ગયા હતા અને તેમની પત્ની તથા બાળકો પિયર
કોલવડા ગયાં છે. તેમણે એકલતાનો લાભ ઉઠાવી કોઈ કારણસર પંખે દોરી વડે ગળાફાંસો ખાઈ
લીધો છે.યુવાન કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતાં પોલીસ બેડામાં શોકની
લાગણી ફરી વળી છે. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળનાં સાચાં
કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.










