gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ: મનરેગા રદ્, ગાંધીજીની બાદબાકી | Old Wine in New Bottle: MGNREGA Cancellation…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ: મનરેગા રદ્, ગાંધીજીની બાદબાકી | Old Wine in New Bottle: MGNREGA Cancellation…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ સંસદમાં રજુ કરાશે

– નવી યોજનામાં કામના દિવસો 100થી વધારીને 125 કરાશે પરંતુ ખેતીની સીઝનમાં કામ નહીં અપાય, ખર્ચનો બોજ રાજ્યોના માથે પણ નખાશે

– મનરેગાનું નામ ત્રણ દિવસ પહેલા પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના કરાયા પછી હવે વીબી-જી રામ જી કરાતા વિવાદ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારમાં રોજગારી માટેની હાલની મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એપ્લોઇમેન્ટ ગેરન્ટી એક્ટ- મનરેગા યોજનાના સ્થાને નવી યોજના લાવવા જઇ રહી છે. આ માટે સંસદમાં સરકાર દ્વારા બિલ રજુ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારી માટે જે નવી યોજના લોન્ચ કરવામાં આવશે તેને વિકસિત ભારત ગેરન્ટી ફોર રોઝગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) નામ આપવામાં આવ્યું છે. નવી યોજનામાં ૧૨૫ દિવસ કામ આપવાનો દાવો કરાયો છે જ્યારે જે ખર્ચો થશે તેનો બોજ રાજ્યો પર પણ નાખવામાં આવશે. 

વર્ષ ૨૦૦૫માં મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટનો અમલ કરવામાં આવ્યો હતો, ૨૦ વર્ષે આ યોજનાનું સ્થાન હવે નવી યોજના લેવા જઇ રહી છે. મનરેગામાં હાલમાં વર્ષમાં ૧૦૦ દિવસ કામની ગેરંટી આપવામાં આવે છે, હવે જે નવી યોજના લાવવામાં આવી રહી છે તેમાં કામના દિવસો વધારીને ૧૨૫ કરવામાં આવશે તેવા અહેવાલો છે. આ સાથે જ મજૂરી બદલ જે રૂપિયા ચુકવવામાં આવે છે તેમાં પણ ફેરફાર કરાશે. મનરેગામાં આ ચુકવણી માટે ૧૫ દિવસની સમય મર્યાદા હોય છે જેમાં સુધારા કરીને આ સમય મર્યાદા દર સપ્તાહની કરવામાં આવશે.

જોકે આ નવી યોજનામાં એક એવી જોગવાઇ છે જેને લઇને રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ થઇ શકે છે. નવી યોજના કે નવા રોજગારી કાયદા મુજબ હવેથી રોજગારી પાછળ જે ખર્ચો કરવામાં આવશે તેમાં રાજ્યોની પણ ભાગીદારી રહેશે. એટલે કે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ રોજગારીની મજૂરી ચુકવવામાં નહીં આવે, રાજ્યોએ પણ તેમાં મદદ કરવાની રહેશે. અત્યાર સુધી મનરેગામાં અપાતી રોજગારી બદલ લોકોને મજૂરી કે ખર્ચ આપવાની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર હસ્તક હતી. 

જોકે તમામ રાજ્યો પર એક સરખો બોજ નાખવામાં નહીં આવે, જેમ કે પૂર્વોત્તર રાજ્ય, પર્વતીય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ફંડિંગની રકમ કેન્દ્ર અને રાજ્યોની ભાગીદારી ૯૦ઃ૧૦ની રહેશે. અન્ય રાજ્યો માટે આ રેશિયો ૬૦ઃ૪૦નો રાખવામાં આવ્યો છે.    મનરેગા અને આ નવી યોજના વચ્ચે એક મોટુ અંતર કામને લઇને છે, નવી યોજના મુજબ હવેથી ખેતીની સીઝનમાં કામ નહીં અપાય, ગ્રામીણ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રમાં મજૂરી કામ થતું હોવાથી આ નિર્ણય લેવાયો હોવાની દલીલો થઇ રહી છે. 

રાજ્ય સરકારોએ પ્રત્યેક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૬૦ દિવસની સમય મર્યાદા જાહેર કરવાની રહેશે, જેમાં આ ખેતીનું કામ સામેલ હશે. આ ૬૦ દિવસની સમય મર્યાદા તમામ રાજ્યોમાં એક સરખી નહીં હોય.  જોકે આ યોજનામાં રાજ્યો પર પણ ખર્ચનો બોજ નાખવામાં આવનારો હોવાથી કેટલાક રાજ્યો દ્વારા તેનો વિરોધ થઇ શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં કહ્યું હતું કે મનરેગાએ છેલ્લા ૨૦ વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારોમાં લઘુતમ વેતન સાથે રોજગારી પુરી પાડી છે. જોકે હજુ પણ આ યોજનાને મજબૂત કરવાની જરૂર છે. 

ગાંધીજીને ઇતિહાસમાંથી હટાવવાનો ભાજપનો કારસો: કોંગ્રેસનો આક્ષેપ

બીજી તરફ મનરેગામાં ગાંધીજીનું નામ સામેલ છે, કેન્દ્ર સરકાર આ નામ જ હટાવીને નવા નામે યોજના લાવી રહી છે. જેને પગલે કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્રને ઘેરી હતી. લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીએ સવાલ પૂછ્યો હતો કે ગાંધીજી માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં એક મહાન નેતા તરીકે ઓળખાય છે, તેમના નામને આ યોજનામાંથી કેમ હટાવાયું? યોજનાઓના નામ બદલવાને કારણે ઓફિસ, સ્ટેશનરી સહિત બહુ જ મોટો ખર્ચો કરવામાં આવે છે, યોજનાઓના નામ બદલવાથી શું ફાયદો થશે? તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રિએને કહ્યું હતંુ કે ગાંધીજીનું અપમાન કરનારા આ એ જ લોકો છે કે જે ગાંધીજીના હત્યારાને પોતાનો આદર્શ માને છે, આ લોકો ગાંધીજીને ઇતિહાસમાંથી હટાવવા માગે છે. સીપીઆઇ(એમ)ના જનરલ સેક્રેટરી એમએ બેબીએ કહ્યું હતું કે ખર્ચનો બોજ રાજ્યો પર નાખવામાં આવી રહ્યો છે, કેન્દ્ર સરકાર હવે વિપક્ષ શાસિત રાજ્યોની નાણાકીય ફાળણવી પર કાપ મુકીને સજા આપવા પ્રયાસ કરશે.  



G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…
INDIA

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…

April 3, 2026
બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n…
INDIA

બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n…

April 3, 2026
રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…
INDIA

રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…

April 3, 2026
Next Post
સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w…

સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w...

દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ

દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ

મિશન ફોર મિલીયન ઝૂંબેશ વિવાદમાં ૧૩૫ કરોડના ખર્ચ છતાં વિજિલન્સ તપાસ સોંપવા મુદ્દે શાસકો અવઢવમાં | Mis…

મિશન ફોર મિલીયન ઝૂંબેશ વિવાદમાં ૧૩૫ કરોડના ખર્ચ છતાં વિજિલન્સ તપાસ સોંપવા મુદ્દે શાસકો અવઢવમાં | Mis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે | dubai during air sh…

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે | dubai during air sh…

4 months ago
ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2…

ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2…

7 months ago
PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા’, ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી | Iran may b…

PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા’, ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી | Iran may b…

1 month ago
વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે | dubai during air sh…

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે | dubai during air sh…

4 months ago
ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2…

ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2…

7 months ago
PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા’, ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી | Iran may b…

PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા’, ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી | Iran may b…

1 month ago
વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News