![]()
Vadodara : સાવલી તાલુકાના વડદલા, વેમાર અને ગરદીયા ગામના ખેડૂતો ઔદ્યોગિક પ્રદૂષિત પાણીથી ભારે હાલાકીનો કરી રહ્યા છે.
સ્થાનિક ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. કંપનીઓનું પ્રદૂષિત પાણી કેનાલમાં ઠલવાતું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયો છે.
વડદલા સિંચાઈના તળાવ અને વડદલા સિંચાઈ વિભાગની મેન કેનાલમાં ઝેરી પાણી ભળવાના કારણે ખેતીના પાકને પણ મોટું નુકસાન થયું છે. કેમિકલવાળા ગંદા પાણીના કારણે મૂંગા પશુ-પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. વડદલા, ગરદિયા અને વેમાર સહિત ત્રણ ગામોના ખેડૂતો આ પ્રદૂષિત પાણીની સમસ્યાથી પ્રભાવિત થયા છે. સ્થાનિકો દ્વારા વારંવાર કંપનીઓ અને તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ પગલાં લેવાયા નથી.










